________________
પ્રભુની અષ્ટપ્રકારી પૂજાનું' રહસ્ય— (૧) જલપૂજાના હેતુ અને તેનુ ફળ—
આત્મા ઉપર આઠ કર્મોના ગાઢ લેપ ચાંટલેા છે, જે કાઈ પણ સાબુથી બહારના કાઈપણ રાસાયણિક પદાર્થોથી દૂર થઈ શકતા નથી. દુનિયાના કોઈ વિજ્ઞાનની તાકાત નથી કે એ આત્માના કમમલને દૂર કરી શકે.
જે મલના કારણથી આત્મા અનંત કાળથી સ'સારની ચારે ગતિમાં પરિભ્રમણ કરી અન'તી યાતનાઓ વેઠી રહ્યો છે, તે મલને દૂર કરી, આત્માને સ્વચ્છ સ્ફટિક જેવા બનાવવા હાય તા પ્રભુની જલપૂજા કરી.
જેમ જલપ્રક્ષાલનથી ખાહ્ય મલના નાશ થાય છે, તેમ શ્રી જિનેશ્વરદેવની જલપૂજાના અધ્યવસાયથી આત્માને અભ્યંતર ક્રમ મળ નાશ પામે છે.
(૨) ચંદનપૂજાનેા હેતુ અને તેનુ ફળ—
કોષ, અહંકાર, કપટ અને તૃષ્ણાના તાપથી તથા પાંચ ઇન્દ્રિયેાના વિષયેના કારણે આત્મા રાતદિન સતત રીતે સેકાઈ