SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કલ્પસૂત્ર સમસ્તપણે રહેવારૂપ જે પર્યુષણ કર્યું છે તેના બે પ્રકાર છે –(૧) સાલંબન અને (૨) નિરાલંબન. નિરાલંબન એટલે કારણના અભાવવાળે. તે નિરાલંબન પર્યુષણા કલ્પના પણ (૧) જઘન્ય અને (૨) ઉત્કૃષ્ટ એવા બે ભેદ છે. જઘન્ય –સાંવત્સરિક પ્રતિક્રમણથી માંડી કાર્તિક ચાતુર્મા સના પ્રતિક્રમણ સુધી સીત્તેર દિવસના પરિણામવાળે. ઉત્કૃષ્ટ–અષાડ માસી પ્રતિક્રમણથી માંડી કાર્તિક માસી પ્રતિક્રમણ સુધી ચાર માસને. આ બન્ને પ્રકારને નિરાલંબ પર્યુષણક૫ સ્થવિરકલ્પીઓ માટે છે, બાકી જનકલ્પીઓને તે એક નિલંબન ચાતુર્માસિક જ કલ્પ છે–અર્થાત્ કઈ કારણને લીધે સાલંબન પણ થાય. જે ક્ષેત્રમાં માસકલ્પ કર્યો હોય તે જ ક્ષેત્રમાં ચાતુર્માસ કરવાથી અથવા ચાતુર્માસ કર્યા પછી માસકલ્પ કરવાથી છ માસને ક૫ થાય, તે પણ સ્થવિરકપીઓને જ ઉચિત છે અને પાંચ પાંચ દિવસને ઉમેરો કરી ગૃહસ્થોને જણાવવાનું કે ન જણાવવાને અધિકાર અહીં લંબાણથી લખ્યું નથી. કારણ કે સંઘની આજ્ઞાથી તે વિધિ હાલમાં ઉચ્છેદ થઈ ગયો છે. કલ્પકિરણવાળી વિગેરે ટીકાઓમાં તે જોઈ લે પર્યુષણ કલ્પ, પ્રથમ અને છેલ્લા તીર્થકરના તીર્થમાં નિયત છે અને બાકીના બાવીસ તીર્થકરોના તીર્થમાં અનિયત છે. કારયુકે મધ્યમ તીર્થકરોના સાધુઓ તે દેષનો અભાવ હોય તે એક ક્ષેત્રમાં દેશ ઉણી પૂર્વ કેટી સુધી રહે છે અને દેષ જેવું ણવિશેષથી શ્રી કાલિકાચાર્ય મહારાજે સંત શિરે એ સૂત્રવચનને અવલખી શુદિ ૪નું પ્રવર્તાવ્યું અને તે સર્વ સાધુઓએ માન્ય રાખ્યું. જુઓ નિશીથ ચુર્ણિ-દશમેદ્દેશક.
SR No.023492
Book TitleKalpsutra Sukhbodhika Sachitra
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherMeghji Hirji Jain Bookseller
Publication Year
Total Pages578
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy