SearchBrowseAboutContactDonate
Page Preview
Page 542
Loading...
Download File
Download File
Page Text
________________ નવમ વ્યાખ્યાન. ૪૨૯ ભિક્ષાને માટે દરેક આગલી વસ્તુના અભાવે ઉનના, ઉંટના વાળના, ઘાસના અથવા સુતરના કપડા વડે તેમજ તાડપત્ર અથવા પલાશના છત્રવડે વેષ્ટિત થઈને પણ આહાર લેવા જાય. ૩૧. માસુ રહેલ સાધુ સાધ્વીને ગૃહસ્થને ઘેર ભિક્ષાલાભની પ્રતિજ્ઞાથી એટલે અહીં મને મળશે એવી બુદ્ધિથી ગેચરીએ ગયેલ સાધુને રહી રહીને વરસાદ પડે તે સાધુને આરામના નીચે (બગીચાદિમાં), સાંગિક એટલે આપણું અગર બીજાની ઉપાશ્રયની નીચે, તેને અભાવે વિકટગ્રહ એટલે મંડપ કે જ્યાં ગામડાની પર્ષદા બેસે છે તેની નીચે અથવા ઝાડના મૂલ અથવા નિર્જલ કેરડા આદિના મૂલની નીચે જવું કપે છે. ૩૨. તેમા વિકટગ્રહ, વૃક્ષમૂલ આદિને વિષે રહેલા તે સાધુને તેના આવવા પહેલાં રાંધવા માંડેલ ભાત વિગેરે અને પાછલથી રાંધવા માંડેલ મસૂરની દાલ, અડદની દાળ અથવા તેલવાળી દાળ હોય ત્યારે તેને ભાત વિગેરે લેવું કહપે, પણ મસૂર આદિ દાળ લેવી કલ્પ નહીં. તેને આ અર્થ છે કે સાધુના આવવા પહેલાં જ પોતાના માટે ગૃહસ્થાએ જે રાંધવા માંડેલ હોય તે તેને કપે છે, કારણ કે તેથી દેષ લાગતો નથી અને સાધુના આવવા પછી જે રાંધવા માંડયું હોય તે પશ્ચાદાયુક્ત થાય છે અને તેથી ઉગમાદિ દેષને સંભવ છે તેથી તે લેવુ કપે નહીં. એ પ્રમાણે બાકીની બને હકીકત જાણવી. ૩૩. તેના ઘેર તે સાધુના આવવા પહેલાં મસૂર આદિ દાળ પ્રથમ રાંધવા માંડી હોય અને તંદુલ આદિ પાછળથી રાંધવા માંડેલ હોય તે તેને મસૂર આદિ દાળ લેવી કપે, પણ તંદુલ આદિ લેવું કપે નહીં. ૩૪. તેને ઘેર તે સાધુના આવવા પહેલાં જે બંને વસ્તુ રાંધવા માંડેલ હોય તે બને તેવી કલ્પ અને તેના આવવા પછી જે બંને વસ્તુ રાંધવા માંડી હોય તે
SR No.023492
Book TitleKalpsutra Sukhbodhika Sachitra
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherMeghji Hirji Jain Bookseller
Publication Year
Total Pages578
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy