SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ અમ વ્યાખ્યાન. સ્થવિરાવલી તે કાળ અને તે સમયને વિષે શ્રમણ ભગવંત શ્રી મહાવીર પ્રભુને નવ ગણ અને અગીયાર ગણધર થયા. શિષ્ય પ્રશ્ન કરે ભગવાન ! બીજા જીનેશ્વરને વિષે તે “જેટલા જેને ગણ તેટલા તેને ગણધર” એમ કહેવાય છે, એટલે કે ગણ અને ગણધરની સંખ્યા એકસરખી હોય છે, તે પછી શ્રમણ ભગવંત શ્રી મહાવીરને નવ ગણ અને અગીયાર ગણધર શી રીતે ઘટા વાય?” આચાર્ય “હારાજ ઉત્તર આપે છે કે –“ શ્રી મહાવીર પ્રભુના (૧) ગતમ ત્રવાળા મેટા ઇંદ્રભૂતિ નામના અણગાર પાંચસે સાધુઓને વાચના આપતા હતા. (ર) મૈતમ ગોત્રવાળા વચલા અગ્નિભૂતિ નામના અણગાર પાંચસે સાધુઓને વાચના આપતા હતા. (૩) ગોતમ ગોત્રવાળા નાના વાયુભૂતિ નામના અણુગાર પાંચસો સાધુઓને વાચના આપતા હતા. (૪) ભારદ્વાજ શેત્રવાળા આર્યવ્યક્ત નામના સ્થવિર પાંચસે સાધુએને વાચના આપતા હતા. (૫) અગ્નિવેશ્યાયન ગેત્રવાળા સ્થવિર આર્યસુધર્મા પાંચસો સાધુઓને વાચના આપતા હતા. (૬) વસિષ્ઠ ગોત્રવાળા સ્થવિર મંડિતપુત્ર સાડા ત્રણ સાધુઓને વાચના આપતા હતા. (૭) કાશ્યપગેત્રવાળા સ્થવિર માર્યપુત્ર સાડા ત્રણ સાધુએને વાચના આપતા હતા. (૮) ગૌતમ * અને તેટલા તેમના મુખ્ય શિષ્યો હતા એમ બધે સમજી લેવું
SR No.023492
Book TitleKalpsutra Sukhbodhika Sachitra
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherMeghji Hirji Jain Bookseller
Publication Year
Total Pages578
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy