SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૬ શ્રી કલ્પસૂત્રનબળી થઈ ગયેલી જોવામાં આવી. પોતાના અધિકારીઓને બોલાવો પૂછયું કે:-“અરે! આ સુંદરી આમ સાવ સુકાઈ કેમ ગઈ? મારા ગયા પછી કેઈએ તેની સંભાળજ ન લીધી કે શું ?” અધિકારીઓએ નમન કરી ઉત્તર આપે.–“ મહારાજા ! જ્યારથી આપ દિગવિજય કરવા નિકળ્યા, ત્યારથી આ સુંદરી માત્ર પ્રાણુ ટકાવી રાખવા ખાતર જ આયંબિલ તપ કરે છે. આપે તેમને દીક્ષા લેવાની આજ્ઞા ન આપી તેથી તેઓ ભાવદીક્ષિત થઈને પોતાના દિવસે ગાળે છે.” સુંદરીને દીક્ષા લેવાને દ્રઢ મનોરથ જાણ ભરત મહારાજાએ કહ્યું કે –“ અરેરે ! હેન, આટલા વખત સુધી હું જ તમારા વ્રતમાં વિશ્વભૂત થયે ! તમે આવા નાજુક શરીરથી પણ મોક્ષરૂપી ફળ ઉત્પન્ન કરવા માગો છે અને તે સારૂ દીક્ષા ગ્રહણ કરવા તૈયાર છે એ વિષે તમને જેટલો ધન્યવાદ અપાય તેટલે એ જ છે !” એ પ્રમાણે સુંદરીની પ્રશંસા કરી તેને દીક્ષા લેવાની રજા આપવામાં આવી. ત્યારબાદ સુંદરીએ અષ્ટાપદ પર્વત ઉપર જઈ શ્રી ઋષભદેવ પ્રભુ પાસે દીક્ષા સ્વીકારી. બાર વરસનું ભયંકર યુદ્ધ હવે ભરતક્ષેત્રના છ ખંડ સાધવા છતાં ચક તે આયુધશાબામાં ન પેસતાં હારજ રહ્યું. તેથી ભરત મહારાજાએ પિતાના અઠ્ઠાણું ભાઈઓને પિતાની આજ્ઞામાં રહેવાનું દૂત મારફતે કહેણ મોકલ્યું. બધા ભાઈઓ એકઠા થયા અને “આપણે ભારતની આજ્ઞા માનવી કે તેની સામે યુદ્ધ કરવું” એ વિષે ખુલાસો મેળવવા પ્રભુ પાસે ગયા. પ્રભુએ તેમને વૈતાલીય નામના અધ્યયનની પ્રરૂપણુ વડે પ્રતિબંધ પમાડી દીક્ષા આપી. તે પછી મહારાજાએ બાહુબલિ પાસે એક દૂત મોકલ્યા. અતુલ બળ ધરાવનાર બાહુ
SR No.023492
Book TitleKalpsutra Sukhbodhika Sachitra
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherMeghji Hirji Jain Bookseller
Publication Year
Total Pages578
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy