SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કલ્પસૂત્ર ૨૩૪ આહારને અનેષણીય કરી નાખ્યા, પ્રભુએ પાતાના જ્ઞાનમળથી અનેષણા જાણી લીધી અને તુરત પાછા ફરી તે ગામની બ્હાર પ્રતિમાધ્યાને રહ્યા. સંગમે અવધિજ્ઞાનથી જોયુ. તા પ્રભુનાં અસ્ખલિત વિશુદ્ધ પરિણામ જણાયાં. તેણે વિચાર્યું કે “ છ મહિના સુધી નિરંતર ઉપસ કરવા છતાં આ મુનિ ડગતા નથી. હવે તે મારે શું કરવું ? આવા ને આવા બીજા છ મહિના સુધી ગમે તેટલા ઉપસર્ગ કરીશ તા પણ તે ચળે એવા સંભવ નથી.” સંગમના મ્હાં પર પ્રીક્કાશ કી વળી. શરમથી તેણે પેાતાનુ સુખ છુપાવવાના પ્રયત્ન કર્યાં અને કહ્યું કેઃ— હૈ સ્વામી ! શક્રેન્દ્રે સુષો સભામાં આપના સત્ત્વની જે પ્રશસા કરી હતી તે મને યથાર્થ જ લાગી છે. મેં આપના ઘણા અપરાધ કર્યો છે– મને એ બદલ ક્ષમા આપશેા. ” એ પ્રમાણે કહી, વિલખા થઈ, શક્રની બીકથી પ્રભુને વંદન કરી સાધર્મ દેવલાક તરફ ચાહ્યા. ત્યારપછી તે જ ગાકુળમાં જતી એક વૃદ્ધ ગેાવાળણે પ્રભુને દૂધપાકથી પારણું કરાવ્યું. તે દાનથી સ ંતુષ્ઠ થયેલા દેવાએ ત્યાં વસુધારા વિગેરે પાંચ દિવ્યેા પ્રકટ કર્યો, સંગમના તિરસ્કાર '' સંગમ દેવસભામાંથી ઉઠીને ચાલી નીકળ્યેા ત્યારથી સાધમ વાસી દેવ-દેવીએના ઉદ્વેગના કંઇ પાર ન હતા. શક્રેન્દ્રને નાચ–ગાન વિના એક મુહૂર્તો પણ ન ગમે. છતાં તેણે રંગવિલાસ ત્યજી દીધાં. તે ચિંતા કરવા લાગ્યા કે: માવા હલકા આત્મા પાસે મેં પ્રભુની પ્રશંસા કરી એ મારી મ્હાટી ભૂલ થઇ ગઇ. મારી પ્રશંસા સાંભળીને જ સંગમ, પ્રભુ ઉપર ઉપસર્ગ નાખવાને પ્રેરાયા, એટલે એક રીતે હું જ એ ઉપસર્ગેીંના નિમિત્ત બન્યા. ” આવા વિચારમાં, ટ્વીન જેવું મુખ કરી, હાથ ઉપર મસ્તક ટેકવી વ્યગ્ર ચિત્ત બેઠા હતા. એટલામાં
SR No.023492
Book TitleKalpsutra Sukhbodhika Sachitra
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherMeghji Hirji Jain Bookseller
Publication Year
Total Pages578
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy