________________
: ષષમ વ્યાખ્યાન
બધુવર્ગની વિરહ વેદના શ્રમણ ભગવાન મહાવીર બંધુવર્ગની અનુમતિ લઈ ત્યાંથી ચાલી નીકળ્યા. પ્રેમી બંધુવ, પ્રભુ દષ્ટિગોચર થાય ત્યાં સુધી તેમની તરફ એકીટસે નીરખી રહે. પ્રભુના વિયેગથી તેમને ઘણું જ વેદના થઈ. તેઓ ગદ્દગદ્દ કંઠે કહેવા લાગ્યા કે –“હે. વીર ! તમારા વિના ઘર પણ હવે અમને શૂન્ય અરય જેવું લાગશે ! ત્યાં અમારાથી શી રીતે રહેવાશે ? હે પ્રભુ! તમારા વિના. અમને વાર્તાલાપને આનંદ કયાં મળશે ? અમે હવે કોની સાથે બેસીને ભજન કરશું?હ આર્ય! દરેક કાર્યમાં અમે તમને “વીર વીર” કહીને બોલાવતા, અને તમારાં દશનમાત્રથી જ અમને કેટલો બધો આનંદ તથા પ્રેમભાવ ઉદ્દભવત? આજે અમે તમારા વિગને લીધે નિરાશ્રય જેવા જ બની ગયા છીએ, હવે અમને કેણ આશ્રય આપશે ? હે બાંધવ, અમારી આંખેને અમૃતાંજન જેવું અતિ પ્રિય તમારું દર્શન હવે અમને પુનઃ કયારે થશે? હે ઉત્તમગુણાભિરામ? તમારૂં ચિત્ત તે રાગ-દ્વેષ વિનાનું છે, પણ કેઈક વખત તે અમને યાદ કરજો ! ” વિગેરે રીતે વિરહવેદનાથી દુઃખી થતે, આંખમાંથી આંસુ પાડતે બંધુવર્ગ નિસ્તેજ મુખે પિતાને ઘેર ગયે.
- સુગંધમય પદાર્થોની પીડા " પ્રભુએ દીક્ષા લીધી તે વખતે ઈન્દ્રાદિ દેવોએ ગોશીષ ચદનાદિ સુગંધમય પદાર્થો તેમજ પૂષ્પ વડે પૂજા કરી હતી. તેની | સુધી પ્રભુના શરીર પર ચાર મહિના કરતાં પણ વધારે વખત
રહી. તે પદાર્થોની અલોકિક સુગંધીને લીધે દૂર દૂરથી ખેંચાઈ.