SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન ૪ થું અપકાય:- (પાણી-જલ) ભાવાર્થ–ભૂમિમાં રહેલ પાણુ સચેતન-જીવવાનું છે. તથા વરસાદથી પડતું, કુવા, તળાવ, નદી આદિના પાણી સચિત્ત છે. એટલે જેમ પૃથ્વી પિતેજ જીવ છે, તેમ પાણુ પિતે પણ જીવ છે. તે પ્રત્યેક શરીરી છે. એટલે જુદા જુદા છો છે. તેની અવગાહના જઘન્ય ઉત્કૃષ્ટ આંગળના અસંખ્યાતમા ભાગની છે. આયુષ્ય જઘન્ય અંતર્મુહુર્તનું, ઉત્કૃષ્ટ સાત હજાર વરસનું છે. અગ્નિ આદિ પરકાયા સ્વકાય અને ઉભયકાયરૂપ શસ્ત્રથી પાણી છવ રહિત-અચિત્ત થાય છે, સિવાયનું સર્વ પાણી સચિત્ત હોય છે તેને સ્પર્શનરૂપ એક જ ઈન્દ્રિય છે. તે એકેન્દ્રિયજીવ કહેવાય છે, શસ્ત્ર પરિણમનથી પાણીના વર્ણ, ગંધ, રસ આદિ બદલાઈ જાય છે. તેને શસ્ત્ર પરિણમન થયું કહેવાય છે. પાણી વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સંડાણ સહિત છે. દ્રવ સ્વભાવવાળું છે. પાણીને સજીવ જાણું તેની દયા પાળવી દા તેઉકાય:- (અગ્નિ) ભાવાર્થ—અગ્નિ-સચિત્ત છે–જીવવાળી છે, પ્રત્યેક શરીરી છે, અનેક જીવો છે, એક સ્પર્શનઈન્દ્રિયવાળી છે. તેમાં જુદા જુદા છવો છે, સ્વકાય, પરકાય અને ઉભયકાયરૂપ શસ્ત્રથી અચિત થયેલ સિવાયની અગ્નિ સચિત્ત છે, અવગાહના જ-ઉ. આગળના અસંખ્યાતમા ભાગની છે; આયુષ્ય જઘન્ય અંતમુહૂર્ત ઉત્કૃષ્ટ ત્રણ અહો રાત્રિનું છે. અગ્નિ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ સંઠાણ સહિત છે. એકેન્દ્રિયજીવ કહેવાય છે, જેને ઉષ્ણતા સ્વભાવ છે. અગ્નિને છવજાણું તેની દયા પાળવી-નાળા -વાયુકાય:- (પવન) ભાવાર્થ-વાયુ સચિત-જીવસહિત છે. પ્રત્યેક શરીરી છે, અનેક જીવો છે, એક સ્પર્શ ઈદ્રિય વાળી છે, તેમાં જુદા જુદા છો છે. સ્વકાય, પરકાય અને ઉભયકાય રૂ૫ શસ્ત્રથી અચિત થયેલ
SR No.023490
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorThakarsi Karsanji Shah
PublisherShamji Velji Virani
Publication Year1970
Total Pages350
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_dashvaikalik
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy