________________
નિવેદન
" असं खयं जीविय मा पमायए ""
""
સ્વસ્થ. બા. બ્ર. વિનેાદમુનિજી આગમાક્ત જિનવાણીના પરમ ભક્ત હતા. જિનાગમવચન પર એમની અગાધ શ્રદ્ધા હતી અને "असं खयं जीविय मा पमायए ( જીવન તૂટયું સધાતું નથી માટે ક્ષણ માત્રને પણ પ્રમાદ ન કરવા જોઇએ ) આ તેમનુ ધ્યેય હતું. વીતરાગની વાણીને વિશેષ પ્રચાર કેમ થાય, એની એમના હૃદયમાં ઘણી જ ધગશ હતી. વીતરાગનાં વચનાનું શ્રદ્દાન કરીને એમણે ભાગવતી દીક્ષા અંગીકાર કરી, એમની દીક્ષા—સંસ્કાર–વિધિમાં અમે નિમિત્ત ન થઈ શકયા, એ અમારી ક્રમનસીબી છે. વીતરાગવાણીના પ્રચારની એમની ઉત્કટ ઇચ્છા હતી તે સદભાવનાની પૂર્તિરૂપે વીતરાગવાણીમાં જે ઉત્તમ જ્ઞાન છે અને જે નિત્ય શ્રાવકજીવનમાં ઉપયાગી થઇ શકે તેમ છે તેવા સાહિત્યનું પ્રકાશન કરીને અમુક અશે એ દુ:ખને હળવુ કરવા અમારા ચિત્તને સાવન આપવાના ૧૫ પ્રયત્ન કરી આ ગ્રંથ સ્વસ્થ ખા. શ્ર. શ્રી વિનૈઃમુનિજીને શ્રદ્ધાંજલિ રૂપે અર્પણ કરીએ છીએ.
સ્વસ્થ, મુનિશ્રી નિર્વાણ પામ્યા પછી તેમના સ્વર્ગારાઢણુનું જે નિમિત્ત હતું, તેનુ વણૅન તથા તેમના આદર્શ જીવનને વૃત્તાંત સક્ષિપ્તમાં આ ગ્રંથમાં આપેલ છે તેમજ તેમના અનુપમ જીવનને આવરી લેતા ગ્રંથ ગુજરાતી તથા હિન્દી ભાષામાં જુદા જુદા ગ્રંથ રૂપે પ્રકાશિત થએલ છે. શ્રી દશવૈકાલીક સૂત્ર નામના આ ગ્રંથ અમે। શ્રી. જૈન ધર્મ પ્રેમી મુમુક્ષુઓ સમક્ષ મૂકીએ છીએ, જેમાં શબ્દા તથા ભાવાથ સરળ રીતે છાપેલ છે.