SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૮ દશવૈકાલિક સૂત્ર ભાવાર્થ–સંત સાધુને, પિતાનાથી અધિક કે સમાન ગુણી ન મળે તે પોતે એકલો જ કામગથી વિરક્ત રહી, પાપોને ત્યાગી, સાવધાનતાથી એકાકી વિચરે. ૧૦ संवच्छर वा वि पर पमाणं, बीयं च वासं न तहि वसिज्जा । सुत्तस्स मग्गेण चरिज्ज भिक्खू, सुत्तस्स अत्थो जह जाणवेइ ॥ ११ ॥ ભાવાર્થ–સુસાધુ એક સ્થળે એક વર્ષમાં વધુમાં વધુ ચાતુમંસ અને બીજી ઋતુઓમાં એક માસ રહી શકે. જ્યાં ચાતુર્માસ ર્યું હોય ત્યાં બીજાં બે ચાતુર્માસ છોડી ત્રીજે વર્ષે ચાતુર્માસ રહી શકાય. તે જ પ્રમાણે એક માસ જે સ્થળે રહ્યા હોય ત્યાં તેનાથી બેવડો વખત (બે માસ) અન્ય ક્ષેત્રોમાં ગાળ્યા પછી ત્યાં માસભર રહી શકાય, એવી જૈનધર્મની આશા છે. સૂત્રના પરમાર્થના લક્ષવાળે સુસાધુ સત્રમાં જે પ્રકારની આજ્ઞા ફરમાવી છે તે જ પ્રમાણે સૂત્રના માર્ગને અનુસરે. ૧૧ जो पुधरतावररत्तकाले, संपिक्खए अप्पगमप्पएण। कि मे कडं कि चमे किच्चसेसं, જિ રસવાnિs સમાયામિ ૨૨ ભાવાર્થ–સુસાધુ રાત્રિના પ્રથમ પહોરે કે અંતિમ પહેરે પિતાના આત્માનું પિતાના આત્મ દારા અવલોકન કરે. તેમજ મેં શું કર્યું ! મારે શું કરવાનું છે?, હું જે આચરી શકું તે મેં આચર્યું છે કે નહિં? મારે કરવાનું બાકી રહ્યું ? અને હું મારી કઈ ભૂલને છોડી શકતો નથી ?. આમ વારંવાર વિચારીને ભાવિમાં સંયમમાર્ગથી પતિત ન થવાય તે માટે ચીવટ રાખે. ૧૨ कि मे परो पासइ किच अप्पा, कि घाहं खलियं न विवजजयामि ।
SR No.023490
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorThakarsi Karsanji Shah
PublisherShamji Velji Virani
Publication Year1970
Total Pages350
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_dashvaikalik
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy