SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ પૂ. શ્રી સમર્થમલજી મહારાજ સાહેબને અભિપ્રાય પ્રાથમિક તેમ જ અલ્પકાળના પરિચયથી મને શ્રી વિનોદમુનિના વિષે અનુભવ થયો કે તેમની ધર્મપ્રિયતા અને ધર્માભિલાષા “અડ્રિમિંજા પમાણુંરાગર' નો પરિચય કરાવતી હતી, પ્રાય: સાંસારિક પ્રચૂર વૈભવ તરફ તેમની રુચિ દષ્ટિગોચર થતી ન હતી, પરંતુ તેઓ વીતરાગવાણીના સંસર્ગથી વિષય વિમુખ, ધર્મકાર્યમાં તત્પર અને તલ્લીન દેખાતા હતા. ખાસ પરિચયના અભાવે પણ તેમની શૈરાગ્ય ધારાથી તેમની ધર્માનુરાગીતા તથા જીવનચર્યાથી કઠિન કાર્ય કરવામાં પણ ગભરાટને સ્થાને સુખાનુભવની વૃત્તિ લક્ષમાં આવતી હતી. શ્રી વિનોદમુનિના જીવનના બે પ્રશ્નો ઉપસ્થિત થાય છે તેને ખુલાસો કરવામાં આવે છે. પ્ર. ૧. તેમણે આજ્ઞા વગર સ્વયમેવ દીક્ષા કેમ લીધી? ઉત્તર:-પાંચમા આરાના ભદ્રા શેઠાણીના પુત્ર એવંતા (અતિમુક્ત) કુમારને તેમનાં માતુશ્રીએ દીક્ષાની આજ્ઞા આપવાની તદ્દન ના પાડી એટલે તેમણે સ્વયમેવ દીક્ષા લીધી. ત્યાર બાદ ભદ્રા શેઠાણીએ પિતાના કુમારને ગુરુને સોંપી દીધા. તે જ રારો તેમણે બારમી ભિખુની પડિમા અંગીકાર કરી. અને શિયાળણના પરિષહથી કાળ કરી નલીન ગુલ્મ વિમાનમાં ગયા. તેવી જ રીતે શ્રી વિનોદકુમાર સ્વયં દીક્ષિત થયા પ્ર. ૨. આવા વૈરાગી જીવને આવો ભયંકર પરિષહ કેમ આવે ? ઉત્તર:-કેટલાક ચરમ શરીરી જીવને મારણાંતિક ઉપસર્ગ આવેલ છે. જીઓ ગજસુકુમાર મુનિ, મેતારજ મુનિ, કોશલમુનિ, કારણ કે તેમની સત્તામાં હજારે ભવનાં કમ હોવાં જોઈએ, ત્યારે તેમને એકદમ મોક્ષ જવું હતું, તો ભારણાંતિક ઉપસર્ગ આવ્યા વગર એટલાં કમે કેવી રીતે ખપે ? બા.બ્ર.શ્રી વિનોદમુનિને આવો પરિષહ આ , જે ઉપરથી એમ અનુંમાન થાય છે કે તે એકાવતારી જીવ હેય. શ્રી વિનોદમુનિનું વિસ્તૃત જીવન ચરિત્ર જુદા પુસ્તકથી ગુજરાતી ભાષા તથા હિન્દી ભાષામાં છપાયેલ છે. તેમાંથી અહી સારરૂપે સંક્ષેપ કરેલ છે.
SR No.023490
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorThakarsi Karsanji Shah
PublisherShamji Velji Virani
Publication Year1970
Total Pages350
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_dashvaikalik
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy