SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ આપી છે). વળી એ સઘળા ધાતુઓમાંથી પ્રેરક ને સન્નન્ત નામના બે જાતના પ્રત્યયાન્ત ધાતુઓ થાય છે. ને કેટલાએકમાંથી યન્ત નામના ત્રિજી જાતના પ્રત્યયાન્ત ધાતુઓ થાય છે. તેમજ પ્રાતિપદિકે (એટલે ધાતુ વગેરેમાંથી થતા વિભક્તિઓ લે તેવા શબ્દ) તથા અવ્યમાંથી નામ ધાતુ નામના ચેથી જાતના પ્રત્યાન્ત ધાતુઓ થાય છે. એ રીતે જે પાંચ જાતના (કેટલાએક પ્રત્યયાન્ત ધાતુઓના પ્રત્યયાન્ત ધાતુઓ પણ થાય છે. ને તે પ્રમાણે ધાતુઓની જાતે ગણીએ તે તેને પાર આવે નહીં ને એવા ધાતુઓ થાય ખરા પણ વપરાસમાં આવતા નથી તેથી તે જાતે આ ગણનામાં લીધી નથી ને માત્ર પાંચ જાતે જ કહી છે, ને દાખલારૂપે પ્રત્યયાન્ત ધાતુઓના પ્રત્યયાન્ત ધાતુઓના રૂપ બતાવવા યુવચિવ વગેરેના રૂપે આઠમા ભાગમાં આપેલા છે) ધાતુઓ થાય છે તે બધા કર્તરિ પ્રગના હોય છે એટલે તેઓના ભાવે કર્મ પ્રગના થતા બધુમળી દસ જાતના ધાતુઓ થાય છે, ને તે દરેક જાતના ધાતુના જુદા જુદા કાળના ક્રિયાપદે, કૃદંત અવ્યયો તથા કૃદંતાદિ પ્રાતિપદિકે થાય છે, અને આ બધાજે થાય છે તે ઘણું ખરું માત્ર અમુક અમુક પ્રત્યય લાગવાથી તથા તેઓની પૂર્વે તેઓના નિમિત્તના ફેરફારો થવાથી થાય છે, ત્યારે એ પ્રત્યયે, તેઓના નિમિત્તના ફેરફારે તથા દરેક વિષયની જુદી જુદી જાતે, તેઓમાં લાગતા વધુ નિયમે, ને તેઓના થતા જુદા જુદા રૂપે જે જાણવાના છે તે નીચે, પહેલા ભાગમાં પ્રત્યયે, બીજા ભાગમાં પ્રત્યેની સમજ, ત્રિજા ભાગમાં તેઓને નિમિત્તે થતા ફેરફારે, ચેથા ભાગમાં પ્રત્યયાન્ત ધાતુ કરવાના વધુ નિયમે, પાંચમાં ભાગમાં ભાવ કર્મ પ્રગના ધાતુઓ કરવાના વધુ નિયમે, છઠ્ઠા તથા સાતમા ભાગમાં દરેક જાતના ધાતુના જુદા જુદા ક્રિયાપદે કરવાના નિયમે, આઠમા ને નવમા ભાગમાં દરેક જાતના ધાતુના જુદા જુદા ક્રિયાપદના રૂપે, ને દશમા ને અગીઆરમાં ભાગમાં કૃદંત અવ્યય તથા કૃદંત પ્રાતિપદિકની જાતે, તેમાં લાગતા વધુ નિયમ તથા તેઓના થતા રૂપે, એ પ્રમાણે અગીઆર ભાગમાં બતાવ્યા છે.* ભાગ ૧ લે. . પ્રત્ય. પ્રત્યયેની જાતે તથા દરેક જાતના પ્રત્યેની વિગત નીચે મુજબ છે. ૧. પ્રત્યયાન્ત ધાતુબોધક ક પ્રેરક બોધક-અચ-એ કેઈપણ ધાતુને તેને પ્રેરક ધાતુ કરવામાં લગાડાય છે. ને પ્રે રક ધાતુને અર્થ જેને પ્રેરક કર્યો હોય તેની પ્રેરણું કરાવવી એ થાય છે. ખ. સન્તબોધક–સ-એ કોઈપણ ધાતુને તેને સન્નન્ત ધાતુ કરવામાં લગાડાય છે ને સ*ઉપર પ્રમાણેની સંસ્કૃત ભાષાની બાંધણી પરથી માલમ પડશે કે અગર મૂળ ધાતુઓ છેડા છે તો પણ તેઓ માંથી તેના પ્રત્યયાન્ત ધાતુઓ થવાથી, તથા ધાતુઓનું પ્રતિપદિ થવું ને પ્રતિદિનું ધાતુઓ થવું એવું એઓનું એક બીજામાં પુનરાવર્તન થવાથી, જે અસંખ્ય શબ્દ ઉત્પન્ન થાય છે તે, તથા ધાતુઓને પ્રાતિપદિક થવામાં વિભકિતઓના પ્રત્યય લેવા પણ પ્રાપ્ત થઈ જે નવા અવતારે થાય છે ને કૃદંત અવ્યોમાં ધાતુપણામાંથી જે મુક્તિ થાય છે કે, તેમજ એ બધુ માત્ર થોડા પ્રત્યયો તથા તેમના નિમિત્તના ફેરફારોના થોડા નિયમોથી થાય છે તે, એ ભાષાની ખુબી, દૈવી પણું, તથા એને અપાયેલા સંસ્કૃત એવા નામનું યથાર્થ પણું સિદ્ધ કરી આપે છે.
SR No.023460
Book TitleSanskrit Bhasha Pradip
Original Sutra AuthorN/A
AuthorThakordas Jamnadas Panji
PublisherThakordas Jamnadas Panji
Publication Year1867
Total Pages366
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy