________________
૪૩
નામનું છે. તેમાં વર્તમાન, ભૂત ભવિષ્ય, આજ્ઞાર્થ, વિધ્યર્થ, આશીલિંગ વગેરેને કયાં ને જ્યારે પ્રયોગ થાય, સાત વિભક્તિઓને કયારે પ્રવેગ થાય તે વિષે, તથા કર્તરિગ, કર્મણિ પ્રગ, ભાવે પ્રગમાં કર્તાને પ્રગ કરવા વિષે; તથા શબ્દોના અને ક્રિયાપદના અધ્યાહાર વિષે નિયમ દર્શાવ્યા છે અને આઠમાં પરિશિષ્ટ નામના પ્રકરણમાં ઢોહિતરિ અઢાર ગણે, ઉપસર્ગો, ઉપસર્ગોથી ધાતુના અર્થમાં થતા ફેરફાર વગેરે વ્યાકરણને લગતી સર્વ બાબતે ગ્રંથ કર્તાએ ગ્રંથમાં કાળજીપૂર્વક દાખલ કરી છે. વ્યાકરણ જેવા એક કઠિન વિષયમાં તેમણે કરેલે પરિશ્રમ એક વિશ્વ વણિક તરીકે સ્તુત્ય અને આદરણીય છે. ડે. ભાંડારકરના પુસ્તકે કરતાં આ ગ્રંથમાં વ્યાકરણના વિષયે વિશેષ અને વિસ્તારથી વર્ણવ્યા છે. એ રીતે આ ગ્રંથ છે કે ઉપયોગી છે પરંતુ ડે. ભાંડારકરના ગ્રંથ કરતાં આ ગ્રંથ ઘણેજ કઠિન અને વિસ્તારવાળે છે. કારણ કે કર્તાએ પ્રત્યેક વિષયે માટે જુદા જુદા નિયમે લખ્યા છે, ત્યારે ડો. ભંડારકરે, કેટલાક નિયમને એવા તે વ્યાપક લખ્યા છે કે જેને બધી જગ્યાએ ઉપયોગ થઈ શકે. ડા. ભંડારકરે સંધિ પ્રકરણ જુદું નહિ લખતાં, ધાતુના અને શબ્દના પ્રયેગે દર્શાવતી વખતે પ્રસંગે પાત સંધિઓના નિયમે દર્શાવ્યા છે જેથી તેને માટે જુદું પ્રકરણ જવાને તેને પ્રયત્ન કરે પડયે નથી. આનું કારણ ડા. ભંડારકર જાતે વ્યાકરણના અભ્યાસી હતા. તેમણે વ્યાકરણ શાસ્ત્ર ઉપર સંપૂર્ણ વિચાર કર્યો હતો અને પછી જે લોકોને વ્યાકરણ શિખવવાનું છે તેની બુદ્ધિ તરફ પણ ધ્યાન આપ્યું હતું અને પછી ગ્રંથ રચના કરી હતી. તેથી તેને ગ્રંથ કપ્રિય અને અનન્ય થઈ પડે છે. ત્યારે રા. ઠાકરદાસ વ્યાકરણ શાસ્ત્રના અભ્યાસી નથી–તેમણે ગ્રંથને અભ્યાસ કરતાં કરતાં આ ગ્રંથ લખેલે છે અને તેથી જ સિદ્ધાંત કેમુદીનું આ ગ્રંથ એક ભાષાંતર કહીએ તે કહી શકાય. છતાં પ્રથકારના વ્યાકરણ જેવા એક કઠિન વિષયને ગુજરાતી ભાષામાં ઉતારવા માટે કરેલા પરિશ્રમ માટેજ અમે ધન્યવાદ આપીએ છીએ. કર્તએ ગ્રંથને પૂર્ણ ને નિર્દોષ બનાવવા માટે પ્રયત્ન કર્યો છે અને મુંબઈના જાણીતા શાસ્ત્રી જીવરામ લલ્લુભાઈની તથા શાસ્ત્રી ત્રિભુવન ધનજીની આ ગ્રંથ રચતી વખતે સહાયતા લીધી છે. સંસ્કૃત શિખનારને આ ગ્રંથ સહાયતારૂપ થઈ પડે તે છે, કેમકે કર્તાએ અસલ વ્યાકરણના સર્વે નિયમને અનુસરીને દરેક ધાતુઓ, દરેક નામે, તથા સમા, તદ્ધિત વગેરેના રૂપે દર્શાવ્યા છે. વળી આ ગ્રંથના અભ્યાસથી સંસ્કૃત વ્યાકરણના ગ્રંથ, કાવ્ય, નાટકે તથા શાસ્ત્ર ભણવા પણ સરળ થઈ પડવા સંભવ છે. ગ્રંથમાં કેટલાક સ્થળોએ અશુદ્ધિ રહી ગઈ છે જે વ્યાકરણ જેવા ગ્રંથમાં મહાન દેષ ગણાય–પરંતુ તેને માટે આરંભમાંજ શુદ્ધિ પત્રક આપ્યું છે.
ડિસેમ્બર ૧૯૧૦ ના મુંબઈના “સમાચક ચેપનીઆમાં આવેલે મત.
સંસ્કૃત ભાષા પ્રદીપ-કર્તા તથા પ્રસિદ્ધ કરનાર શેઠ ઠકેરદાસ જમનાદાસ પંછ, મુંબઈ. પાનાં ૨૬૪ કીમત રૂ. ૩-૦-૦
ગુજરાતી ભાષાનાં અને વિવિધ રીતે પુષ્ટ કરવાની અતિ આવશ્યકતા છે. એ કાર્ય અસહાય સાહિત્ય સેવકે કેવલ પિતાના વિદ્યાબળથી સાધી શકે એમ નથી. શ્રેષ્ઠીઓ તથા સામાન્ય જનમંડળની તેમાં અવિરત સહાય હશે, તેજ એ કાર્ય પાર પડશે, નહિ તે નહીં જ્યાંસુધી વ્યાકરણ, તર્કશાસ્ત્ર આદિ મુખ્ય મુખ્ય અંગે પરિપુષ્ટ થયા નથી, ત્યાં સુધી ભાષા વૃક્ષ સવિશે પરિણત અને રસદાયી ફળ આપવાને કેવલ અશકત છે. ગુજરાતી ભાષાના મૂળને સંસ્કૃત ભાષાએ જ જોઈત રસ પૂરો પાડે છે, અને અન્ય ભાષાઓ હવા પ્રકાશ આદિ