________________
નપુંસકલિંગ શબ્દો દર્શાવેલ છે. બીજા વિભાગમાં વ્યંજનાન્ત શબ્દો બતાવેલ છે. ત્રીજા વિભાગમાં સર્વનામ ગણના શબ્દો જણાવેલ છે. તથા ચોથા વિભાગમાં સંખ્યાશબ્દો જણાવ્યા છે. આમ શદશાસ્ત્રના પાઠના આધારે સમાનરૂપે અને મિનરૂપનું નિદર્શન કરાવેલ છે. તથા સ્વારિબદલીપિકા નામની અવચેરી દ્વારા સર્વશની વિશેષ સૂત્રધારા સાધનિકનું સુંદર નિરૂપણ કરેલ છે.
' જે સિદ્ધહેમચંદ્રશખાનુશાસન ભણનાર વિદ્યાથીને ખુબ જ ઉપયોગી બનશે. આવા આશયથી પૂ. મુનિરાજ શ્રીવિવેકવિજયજી , મ. સા. ની તથા વ્યાકરણ ભણનાર અન્ય જ્ઞાન પિપાસુ બંધુઓની પુનર્મુદ્રણ કરવાની અને પ્રેરણા મળી.
. . આ વાત પૂ. શાસનસમ્રાટ આબાલબ્રહ્મચારી તપાગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મસા. « પધર પૂ. શાસ્ત્રવિશારદ શાસનપ્રભાવક સુપ્રસિદ્ધપ્રવચનકાર આચાર્ય ભગવંત શ્રી વિજય મહિમાલસરીશ્વરજી મ. સા. ને વિનંતિ કરતાં તેઓશ્રીએ પુનઃમુદ્રણના કાર્યને સ્વીકાર કરતાં ઘણું જ પરિશ્રમે આજે આવા અપ્રાપ્ય અને અલભ્ય ગ્રન્થને પાઠકગણની સમક્ષ મૂતાં આનંદ અનુભવીએ છીએ.
પૂ. આચાર્યશ્રીની ઉમરના તથા આંખની ઝંખાશને કારણે પુસ્તકમાં ઘણી અશુદ્ધિ રહી જવાથી તેનું શુદ્ધિપત્રક પાછળ આપેલ છે, છતાં ચક્ષુદોષ અથવા પ્રીન્ટીંગ દોષથી કઈ ભૂલ રહી જવા પામી હોય તે પાઠકગણુને તેને વ્ય ગણવા વિનંતી.
અંતે આ પુસ્તકમાં સાગ દાતા અને પ્રેરક પૂ.વાત્સલ્યમૂર્તિ ભક્તિ પરાયણ મુનિરાજ શ્રી વિવેકવિજયજી મ. સા. ને તથા દ્રવ્ય સહાયક શ્રી પ્રોસેસ સ્ટ્રીટ લુહાર ચાલ જૈન સંઘને આવા ઉત્તમ જ્ઞાનદાનના સહાયક બનવા માટે અમો પૂર્ણ આભારી છીએ. શુભ ભવતુ શ્રીસ ધસ્ય વિ. સં. ૨૦૪૬ મહા, શુ૫ (વસંતપંચમી) તા ૩૧-૧-૯૦ બુધવાર
લી: પ્રકાશક