SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ પાલવી. તે આજ્ઞા તજીને હિંસા કર તે ધર્મને નાશ કરે. તેના ઉપર યમપાશની કથા કહે છે. આજ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં વણારસી નગરીમાં દુમર્ષણ નામે રાજા હતું. તેને કમલશ્રી નામે રાણી છે. તે નગરીમાં યમપાશ પામે ચંડાલ વસે છે. પણ તે કમે ચંડાલ નથી. વળી તે નગરીમાં એક વલરામ નામે વાણીયે વસે છે. તેને સુમિત્રા નામે સ્ત્રી અને મમ્મણ નામે દીકરે છે. એકદા કોઈ સોદાગર ઘડા લાવ્યે. રાજા તેની પરીક્ષા માટે એક ઘોડા ઉપર ચઢો. એવામાં કઈ રાજાને વૈરી દેવતાનાં ઘોડાના શરીરમાં પેસી રાજાને આકાશે લઈ ગયો. તેણે કોઈક વનમાં જઈ મૂકો. ત્યાં રાજા ઘડાથી હેઠે ઉતર્યો. એટલે ઘેડે મરી ગયે. એવામાં એક હરિષ રાજાને દેખીને જાતિ મરણ પામે. તે હરિણ ભૂમિ ઉપર અક્ષર લખીને એમ કહેતું હતું કે હું તમારે દેવલ નામે ચાકર હતું. તે આર્તધ્યાને મરીને તિર્યંચ થયે છું. તેણે આગળ થઈને રાજાને પાણીનું સ્થાન દેખાડ્યું. રાજા પાણી પીને સ્વસ્થ થયે. એટલે પિતાનું સૈન્ય આવી પહોંચ્યું. રાજા કર્યા ગુણને જાણ હેવાથી તે હરિણને નગરીમાં લઈ આવ્યું. રાજાએ નગરમાં સર્વ ઠામે ઉષણા કરાવી કે કોઈ પણ આ હરિને માર નહિં, પછી નિર્ભયથી તે હરિ નગરમાં સ્વેચ્છાએ ફરતે ફરે છે. એકદા તે હરિ ભમતે ભમતે મમ્મણના હાટે આવ્યું. કઈ પાછલા ભવના વૈરથી મમ્મણને કોપ ચઢયો. તે બાપને કહેવા લાગે કે એ મૃગ અપરાધી છે. માટે એને મારે. ત્યારે તેને પિતા નલદામ છે . વાણિયાના કુલમાં અપર છવ મારે ન ઘટે. અને એને વળી રાજાને ઈષ્ટ છે માટે ન જ માય. તે પણ પિતા કાંઈક વ્યાક્ષેપમાં રહ્યો. એટલે મમ્મણે તે મૃગને મારી નાંખ્યું. તેને વેગલા રહેલા કોટવાળે અને યમપાશે દીઠે. તે વાત રાજાને કરી. રાજા છે. એ વાતની સાક્ષી કોણ? તે બે એને બાપ સાક્ષી? રાજાએ તેના બાપને બેલાવી પૂછયું. તેણે સાચેસાચું કહ્યું કે મારા પુત્રે માર્યો. કકકકકકકકકકકકકકકકકકossessesses ૩૮૯
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy