SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ၀၉၉၇၂၈၉၈၇၉၀၅ ၄၉၉၉၉၉၉၉၉ ન કરે, પરિગ્રહ ન રાખે, કોધ, માન, માયા અને લેભ ન કરે, ઈન્દ્રિય દમીને યજ્ઞને અર્થે પ્રવતે, વળી સર્વ આશ્રવને સંવરે. જીવવાની આશા અણુકરતા જે પિતાની કાયાને સરાવે, ઉપસર્ગ, સહિત શરીરની શુશ્રષા અણુકરતા, કર્મ શત્રુને હણે એ યજ્ઞ તે ઉત્તમ યજ્ઞ છે. માટે તે ય તમે કરે. ત્યારે તે વિપ્રે પૂછતા હતા કે તમારે એ યજ્ઞમાં અગ્નિ કર્યો છે ? તથા અગ્નિ થાપીયે તે સ્થાનક કયું છે ? ત્યારે હેમ કરતાં ચાટુડીથી ઘી પ્રમુખ સિંચવાને ચાટુડી પ્રમુખ કઈ છે? તમારે અગ્નિ સંયુકવાને છાણને ગેર કર્યો છે ? તમારે ખીજમાં પ્રમુખનાં ઈધણ કયા છે ? તમારે શાંતિ કોણ છે ? કે જેણે કરી ઉપદ્રવ ટળે. તમારે હેમવાને વિધિ શું છે ? તે સર્વ કહે. | મુનિ ઉત્તર કહે છે. અમારે બાર ભેદનું તપ તે અગ્નિ છે. અનિનું સ્થાનક તે જીવ છે. મન, વચન, કાયાના પેગ તે ચાટુડી છે શરીર તે ગોર છે. કર્મ તે ઈધણ છે. સંયમયોગ તે શાંતિ છે. એ વિધિએ યજ્ઞ કરીયે છીયે. વળી બ્રાહ્મણ અત્યંતર નાન શુદ્ધિ પૂછે છે. હે મુનિ ! તમારે સ્નાન કરવાને કહ કોણ છે ? તમારે સંસાર સમુદ્ર તરવાને તીર્થ કેણ છે ? પાપ ઉપશમાવે એવું પુણ્યક્ષેત્ર, શાંતિ તીથ કોણ છે? શાને વિષે નાહયાથકા કર્મરૂપ રજ પરિહરે છે ? એ વાત અમે સાંભળવા ઈશ્કિયે છીયે માટે કહે, | મુનિ ઉત્તર કહે છે. હિંસા રહિત ધર્મ તે અમારે દ્રહ છે. બ્રાચર્યરૂપ શાંતિ તે તીર્થ છે, તે તીર્થ એવું છે કે મિથ્યાત્વાદિકે ડહેલું નથી, જીવને વિષે જે નિર્મળ લેશ્યા તેણે કરી છે. જેને વિષે નહાવે છે. જીવ, નિર્મળ, વિશુદ્ધિએ કલંક રહિત પરમ શીતલભૂત થઈને સર્વ દોષને છાંડે, એ સ્નાન તીર્થ કહ્યું છે. મુનિને એ સ્નાન ઘણું પ્રશસ્ત છે. એને વિષે સ્નાન કરી મહાઋષિ શુદ્ધ નિર્મળ થઈને ઉત્તમસ્થાનને વિષે પહોંચ્યા. એટલે કે સિદ્ધિ વર્યા. રક્સ
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy