SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ તિપાત પ્રમુખ અઢાર પાપસ્થાનક પરિહરે, ક્ષમાપ્રમુખ ગુણ અંગીકાર કરે, ભાવશત્રુ પ્રમાદને છાંડે. પ્રમાદરસે વાહ્ય જીવ છેડા પણ અનાચાર દોષે ઘણાકાલ દારૂણ વિપાક દવા કર્મ બાંધે. તેને વિપાકે અરૂણ દેવ અને દેઈણીની જેમ શરીર સંબંધી અને મન સંબંધી ઘણું દુઃખ ભગવે.” ત્યારે રાજા પ્રમુખે પૂછયું કે હે ભગવન્! એણે શું દુષ્કૃત કર્યું હતું, એટલે ગુરુએ પૂર્વનું સર્વ કથાનક કહ્યું. તે સાંભળી અહે ! એટલા દુષ્કૃતના એવા વિપાક! તે બીજાની શી વાત? એવું વિચારી પર્ષદ વૈરાગ્યવંત થઈ. એવામાં અરૂણદેવ અને દેઈલી મૂછ પામી, ફરી ચેતના પામ્યાં. જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. હૃદયથી સંકલેશ ગયે. અને શુભ પરિણામ વધ્યા, તેથી તે કહેવા લાગ્યું કે, “હે ભગવન! જેમ તમે કહ્યું તેમ અમે સાક્ષાત્ દીઠું. જિનધર્મ અચિંત્ય ચિંતામણીરત્ન સરખે પામ્યાં, અમે સારી પેઠે જાણ્યું છે કે, કર્મ પરિણતિ એવી જ હોય છે. તેથી અમારૂં સર્વ આર્તધ્યાન ગયું. અમને પરમ સંવેગ ઉપજે છે. તે માટે હવે અમને અનશનના પચ્ચખાણ કરાવે. અને જન્મ-જરામરણશેકના ભય ટાળે” આચાર્ય ભગવાન બેલ્યા, એ યોગ્ય છે, એમ જ ઘટે છે. આ અવસ્થાએ વિશુદ્ધ પચ્ચખાણું આવશ્યક છે, તે ભવની પરંપરાને ટાળે, દુગતિ દૂર કરે, સદગતિએ પહોંચાડે, મનુષ્યના અને દેવતાના સુખને, સધાવે, અને અનુક્રમે પરમ નિર્વાણ પદ પમાડે. એમ કહી રાજા અને શેઠની સમ્મતિ લઈ તે બંનેને પચ્ચખાણ અણસણુના કરાવ્યા. તેણે અમરેશ્વર આચાર્યની ઘણી સ્તવના કરી કે, હે ભગવન્! અમારૂં મનુષ્યપણું સુલબ્ધ થયું કે, જેથી તમે ધર્મસારથી મળ્યા. વિચિત્ર કર્મપરિણામને વશ જે પ્રાણ થયા છે, તેના તમે પરમ વૈદ્ય સમાન છે. હવે બગવન્! અમારે શું કરવું? ગુરુ બેલ્યા કે, “જે કરવાનું હતું તે કર્યું. વળી વિશેષે સર્વ ભાવને વિષે જે મમત્વ છે તે દુઃખનું મૂળ છે. તેને ટાળે. વળી પરમપદનું હળાહળeseneededessessodomestoboose esteesed Meteorologisteesoreseedooooooose ૧૪૯
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy