SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ રાજ્ય ઉપર બેઠા, કૃતવીય ની રાણી નાસીને તાપસને આશ્રમે ગઈ. ત્યાં ભયવિહત થવાથી પુત્ર પ્રસન્યા. તેનું સુભ્રમ નામ પાડ્યું. તે તાપસને આશ્રમે મહાટા થયા. હવે પરશુરામની પરશુ ક્ષત્રિયની સમીપે જાય, એટલે વટી ઉઠે. એક દિવસ તાપસના આશ્રમની પાસે થઈને જતાં પરશુરામની પરશુ વલવા લાગી, ત્યારે પરશુરામ એ કે, અહી કાઈ ક્ષત્રિય છે. તે સાંભળી તાપસે ખેલ્યા કે અહી' તે અમે ક્ષત્રિય છીએ. ગમે તેા માર. ત્યારે તેની શકા ટળી, એમ અનુક્રમે પરશુરામે સાત વાર નિ:ક્ષત્રિય પૃથ્વી કરતાં ક્ષત્રિયની દાઢાએ કરીને થાળ ભર્યાં. હવે પરશુરામે નિમિત્તિયાને પૂછ્યું કે, મારૂ' મરણુ કોનાથી છે ? નિમિ ત્તિયા બેયે, જે તારા સિ હાસનને વિષે બેસશે, અને જેનાં દેખતાં આ દાઢીઓની ખીર થઇ જશે, તે ખીરને જે ખાશે તેનાથી તારૂં મરણ જાણજે, તે સાંભળીને તેને જાણવા નિમિત્તે પરશુરામે દાનશાળા મડાવી, સિહાસન મ`ડાવ્યુ', અને તેની આગળ દાઢાઓના થાળ મૂક્યો. એવામાં વૈતાઢય પત્રત ઉપર મેઘનાદ નામે વિદ્યાધર છે, તેણે નિમિત્તિયાને પૂછ્યું કે, મારી પદ્મશ્રી નામે પુત્રીના ભર્તાર કાણુ થશે? નિમિત્તિયા ખાલ્યો, સુસૂમ ચક્રવતી થશે. તે દિવસથી મેઘનાદ વિદ્યાધર નિત્ય સુભ્રમની સેવા કરે, એવામાં સુભૂમ યૌવનમાં આવ્યા, થકો ભાંયરામાં રહે છે. માટે માતાને પૂછે છે કે શું લેક આટલા જ છે ? ત્યારે માતાએ સર્વ વૃત્તાંત કહ્યો. તે સાંભળતા જ મહ કાર કરીને તે હસ્તિનાગપુરે ગયા. ત્યાં દાનશાળાને ક્ષેાભના પમાડતા પૂર્વોક્ત સિંહાસને બેઠે. એવામાં થ.ળમાં ભરેલી દઢાએ સવ ખીર થઇ ગઇ. તે જોઇ ચાકર લેક સુભૂમને મારવા લાગ્યા. તેને મેઘનાદે તાહના કરી દૂર કર્યાં. સુભૂમ સ્વસ્થ થઈને તે ખીર ખાઈ ગયો. ચાકર લેકે પરશુરામને ખબર કહી. તેણે પણ સન્નધ થઇ સુભૂમની ઉપર ૧૨
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy