SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીસમવસરણસ્તવ ત્યાર પછી પ્રભુ નીચેથી ત્રીજા (ઉપરથી પહેલા) કિલ્લામાંથી ઉત્તર દ્વારેથી નીકળી બીજા કિલ્લામાં ઈશાનખૂણામાં રહેલ દેવછંદામાં આવે છે. બીજા પહોરમાં ગણધર ભગવંત દેશના આપે છે. તે અસંખ્ય ભવોને કહે છે. ૨૨૨ પ્રભુથી બહારના પગથિયા સુધી જો દોરી રાખવામાં આવે તો તેનું માપ ૮,૨૦૦ ધનુષ્ય, ૨૧ હાથ, ૧૦ અંગુલ થાય. આ એકબાજુનું માપ છે. બીજી બાજુ પણ આ જ રીતે માપ જાણવું. પ્રભુથી બહારના કિલ્લાના કાંગરાની બહારની ભૂમિ સુધી દોરી રાખવામાં આવે તો તેનું માપ ૬,૪૦૦ ધનુષ્ય ૩ હાથ ૧૧ અંગુલ થાય. આ એક બાજુનું માપ છે. બીજી બાજુ પણ આ જ રીતે માપ જાણવું. ગોળ સમવસરણમાં ભગવાનથી અધિષ્ઠિત ભૂમિની નીચેથી ચારે બાજુ બહા૨ના કિલ્લાનો છેડો ૪,૦૦૦ ધનુષ્ય દૂર છે. ૧,૩૦૦ ધનુષ્ય + ૩૩ ધનુષ્ય ૩૨ અંગુલ + ૧,૩૦૦ ધનુષ્ય + ૩૩ ધનુષ્ય ૩૨ અંગુલ + ૧,૩૦૦ ધનુષ્ય + ૩૩ ધનુષ્ય ૩૨ અંગુલ = ૩,૯૦૦ ધનુષ્ય + ૯૯ ધનુષ્ય + ૯૬ અંગુલ = ૩,૯૦૦ ધનુષ્ય + ૯૯ ધનુષ્ય + ૧ ધનુષ્ય = ૪,૦૦૦ ધનુષ્ય. ગોળ સમવસરણમાં ભગવાનથી અધિષ્ઠિત ભૂમિની નીચેથી ચારે બાજુ બહારના પગથિયાનો છેડો ૬,૫૦૦ ધનુષ્ય દૂર છે. ભૂમિથી બહારના કિલ્લા સુધી ૧૦,૮૦૦ પગથિયા છે. દરેક પગથિયું ૧ હાથ પહોળું છે. માટે ૧૦,૦૦૦ પગથિયાની પહોળાઈ ૧૦,૦૦૦ હાથ છે, એટલે ૨,૫૦૦ ધનુષ્ય છે. ૧૦,૦૦૦ ૪ =
SR No.023388
Book TitlePadarth Prakash Part 15
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy