SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીઅંગુલસત્તરી ૧૮૭ અયોધ્યા-દ્વારિકામાં મનુષ્યનું મધ્યમ પ્રમાણ = ૨૫૦ ધનુષ્ય. અયોધ્યા-દ્વારિકામાં મનુષ્યનું જઘન્ય પ્રમાણ = ૨ હાથ. જેમ સમુદાયમાં આવેલા ઘોડા વગેરેના મૂલ્યની ગણતરી મધ્યમ ભાંગાથી થાય છે તેમ અહીં પણ મનુષ્યોને મધ્યમ માન લેવું. અયોધ્યા-દ્વારિકામાં મનુષ્યનું સરેરાશ પ્રમાણ = ૨૫૦ ધનુષ્ય. અયોધ્યા-દ્વારિકામાં મનુષ્યની પહોળાઈ = ૫૦ ધનુષ્ય. અયોધ્યા-દ્વારિકામાં મનુષ્યનું ક્ષેત્રફળ = ૨૫૦ x ૫૦ ધનુષ્ય = ૧૨,૫૦૦ ચોરસ ધનુષ્ય. ૧૨,૫૦૦ ધનુષ્યમાં ૧ મનુષ્ય આવે. . . . ૬૨,૫૦,૦૦૦. - ૬૨,૫૦,૦૦૦ ધનુષ્યમાં જ ૧૨,૫૦૦ = ૫૦૦ મનુષ્યો આવે. ૧ માળના ઘરમાં ૫૦૦ મનુષ્યો આવે. ૩ર માળના ઘરમાં પ00 x ૩ર = ૧૬,૦૦૦ મનુષ્યો આવે. એમ જેટલા માળનું ઘર હોય પ00ને તેટલા ગુણ કરીએ એટલા મનુષ્યો આવે. ૩૨,૦૦૦ નાટક કરનાર પુરુષો અને ૬૪,૦૦૦ અંતઃપુરની સ્ત્રીઓ રાજભવનમાં ભરત ચક્રવર્તીની સાથે બેસે છે. ચારે સેનાઓ નગરીમાં પ્રવેશતી નથી. ચક્રવર્તીનું ભવન ૧૦૮ હાથનું હોય છે.
SR No.023388
Book TitlePadarth Prakash Part 15
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy