SearchBrowseAboutContactDonate
Page Preview
Page 969
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૯૦ ] [ શારદા શિરમણિ આપને તે અનંત અનંત ઉપકાર છે. ભલે, આપ મારાથી દૂર છે પણ આપનું સ્થાન મારા હૃદયમાં છે. આ રીતે દાન આદિ ક્રિયા કરતા આનંદ શ્રાવક અને શિવાનંદા પ્રભુના ઉપકારોને યાદ કરે છે. ખૂબ ઉત્કૃષ્ટ ભાવે સંતને સુપાત્ર દાન આપી પોતાના જીવનને ધન્ય માને છે. પિતાની લક્ષ્મીને ભોજન માટે દુરૂપયોગ કરતે ભંડારી : એક ભંડારી પર રાજાની ખૂબ કૃપાદ્રષ્ટિ, અમદષ્ટિ હતી એટલે રાજા તેને ખૂબ ધન આપતા, તેથી તેની પાસે ઘણું ધન ભેગું થયું હતું. લાખે, કરોડો ગમે તેટલા ભેગા કરે પણ અંતે તો બધું મૂકીને જવાનું છે. લક્ષમી તે કેઈની સાથે જવાની નથી. આ રીતે આયુષ્ય પૂર્ણ થતાં ભંડારી તે મરી ગયે પણ તેના પુત્રને ખબર નથી કે મારા બાપની મિલ્કત કેટલી છે? ભંડારીને મિત્ર ખૂબ સજન, પ્રમાણિક અને ખાનદાન હતું. તેણે છોકરાને બોલાવીને ભંડારીની અઢળક સંપત્તિ બતાવી દીધી. છોકરે તે તે જોતાં આ બની ગયે. આટલી બધી મિલક્ત ? મહામહેનતે મેળવેલી આટલી બધી મિલકત છેડીને તે ચાલ્યા ગયા ! કઈ ધનના ભંડાર સાથે ન લઈ ગયા ! કઈ ભેગવવા પણ ન રહ્યું ! મારે પણ બધું છોડીને મરી જવાનું ને ! જીવની સાથે તે પોતે કરેલા સત્કૃત્યો અને દુષ્કૃત્યે જાય છે. તેણે મનમાં વિચાર કર્યો કે મારે પણ છોડીને જવાનું છે તો મારે લક્ષમીને સંગ્રહ કર નથી. તેણે તો એ વિચાર કર્યો કે ખાઈપીને જલસા કરું, મેજમઝા ઉડાવું ને આનંદથી રહું. તે ખાવાનો ખૂબ શોખીન હતું એટલે તેણે ઠાઠમાઠથી ભજન જમવાનું નકકી કર્યું. તેણે લાખ રૂપિયાના ખર્ચે મેટો બંગલે બનાવ્યો. તેમાં તેણે જમવાને રૂમ ખૂબ ભભકાદાર, ઝાકઝમાળ બનાવ્યા. તે બનાવવામાં લાખ રૂપિયા ખર્ચા. થાળી મૂકવા માટે બાજઠ રત્નજડિત બનાવ્યું અને જમવાનો થાળ સોનાને બનાવ્યું. આવા મહેલમાં અપૂર્વ ઠાઠમાઠથી તે ભવ્યતાથી ભેજન કરે છે. ભંડારીપુત્રને જમવા માટે જે બિરંજ બનાવતા તેમાં કસ્તુરી, કેસર આદિ અનેક જાતના ઉત્તમ અને સુગંધી પદાર્થો નાંખતા. તેના એક ટંકના ભજન પાછળ હજારો રૂપિયાનો ખર્ચો થતો. તેની સુગંધ તે બહાર પણ કયાંય સુધી મહેંકતી. જેણે એક વાર સુગંધ લીધી હોય તે ભૂલે નહિ. ભંડારીને અદ્દભૂત ભેજન વૈભવ તૈયાર થઈ જાય ત્યારે નગરીમાં ઉદ્ઘેષણ કરાવે છે જેને ભંડારીને ભેજનથાળ જોવા આવવું હોય તે આવજે. તેને મહેલ તે એ ભવ્ય હતું કે બધા તે જોવા આવતા હતા. દૂર ઊભા હોય તો પણ બિરંજની સુગંધ આવે. એક ભાઈને ત્યાં બહારગામથી કોઈ મહેમાન આવેલા. તે ભાઈએ તેમને કહ્યું-હું ભંડારીના પુત્રને જનથાળ જેવા જવાને છું. તમારે આવવું છે ? ભંડારી જમે એમાં શું જોવાનું છે? અરે, એ જેવું એ જીવનનો એક હાવે છે. આપણે ૧૦ ફૂટ દૂર ઉભા હોઈ એ ત્યાં એની સુગંધ આવે છે. રસના પાછળ પાગલ બનેલ માનવી : આ બંને ભાઈ જેવા ગયા. બહારથી જે ભાઈ આવ્યા હતા તે તે સુંગધથી લલચાઈ ગયા. તેની લૂલી લબકારા
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy