SearchBrowseAboutContactDonate
Page Preview
Page 913
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૩૪ ] [ શારદા શિરોમણિ સુખમાં જોઈ શકે છે. હવે તેા કના સિદ્ધાંતને માનશેા ને ? કઇ કઇને સુખી દુઃખી કરી શકતું નથી. હવે રાજાની આંખ ઉઘડી ગઇ. પેાતાના જમાઈની સાચી વાત જાણીને ખુશ થયા. પછી મંદિરાના વિધિપૂર્વક વિદ્યાધરની સાથે લગ્ન કર્યાં અને કન્યાદાનમાં રાજાએ ઘણું ઘણુ' આપ્યું'. વિદ્યાધર મણિચૂડ રાજા અને મંદિરાએ ઘેાડા સમય સ’સારમાં રહી પછી દીક્ષા લઈ આત્મકલ્યાણ કર્યું. આ દૃષ્ટાંતથી એ વાત જાણવાની મળે છે. કોઈએ ફાંકો રાખવા નહિ કે હું છું તે બધું મારાથી થાય છે. સૌ પોતપાતાના કર્મો પ્રમાણે સુખ દુઃખ ભાગવે છે. ભલે તમે કમાવ છે પણ તેમાં કુટુ ́ખના કોઈનું પુણ્ય મદદગાર બનતું હેાય છે. બીજી એ વાત કે તમે બીજા માટે ગમે તેટલા ક કરશેા તેા પણ કર્યાં તેા કરનારને ભાગવવા પડશે. તપની ઓળી શરૂ થાય છે. આય’ખીલ એ મહાન તપ છે. મટી જાય છે. ગમે તે આરાધના કરો, સાધના કરા પણુ તમારી સાધના સિદ્ધિ અપાવશે. સમય થઇ ગયા છે. વધુ આજથી આય બીલ તેનાથી ભલભલાના રોગો લક્ષ મેાક્ષનું રાખો તેા ભાવ અવસરે. આસા સુદ ૮ ને સામવાર : વ્યાખ્યાન ન, ૯૨ ઃ તા. ૨૧-૧૦-૮૫ અનંતજ્ઞાની, કરૂણાના કિમિયાગર, દનના દિવાકર, એવા જિનેશ્વર ભગવાન ક્રમાવે છે કે આ સંસારમાં મુખ્ય બે તત્ત્વાની રમખાણુ ચાલે છે. જીવતત્ત્વ અને અજીવતત્ત્વ. જીવ એટલે ચેતન અને અજીવ એટલે જડ. દુનિયામાં જીવ સિવાયના જેટલા પદાર્થા છે તે બધા જડ છે. અનાદિકાળથી આત્માએ જડ પદાર્થોના સંગ કર્યો છે, જડ સાથે પ્રીતિ કરી છે. જડ માટે ઝઝૂમી મરે, કાહીનૂરની કદર ન કરે, કષાય કાજળ આંખે ધરે, અમૂલ્ય રત્ના અળગા કરે. ચૈતન્ય એવે આત્મા અજ્ઞાનના કારણે જડ પદાર્થોને જે પેાતાના થયા નથી, થતા નથી અને થશે નહિ એવા પદાર્થાને મેળવવા માટે તેની પાછળ ઝઝૂમી રહ્યો છે અને કોહીનૂર સમાન ચૈતન્ય આત્માને ભૂલી ગયા છે. જડ પદાર્થો બધા નાશવંત, અનિત્ય અને અશાશ્વત છે. તેના સંગથી આત્મા ઘડીકમાં સુખી તે ઘડીકમાં દુ:ખી થાય છે. મનગમતા પદાર્થા મળે તે આનંદ થાય, સુખ થાય અને મનગમતા ન મળે તેા દુઃખ થાય. તે મેળવવા માટે જીવ રાતદિવસ પ્રયત્ન કરે છે, પાપ કરે છે છતાં ન મળે તા જીવને આ ધ્યાન થાય. જડ પદાર્થો પાછળ ઝઝૂમતા આત્મા આ ધ્યાનની આગમાં શેકાતા હાય છે અને તેને વિયેાગ થતાં રૌદ્રધ્યાન કરે છે, માટે જડ પદાર્થાના સંગ છેડીને ચેતન એવા આત્માને સગ કરો. આત્મા તે નિત્ય, શાશ્વત અને ધ્રુવ છે, પણ નાશવંત, અનિત્ય સુખા મેળવવા માટે નિત્ય એવા આત્માને ભૂલી ગયા છે.
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy