SearchBrowseAboutContactDonate
Page Preview
Page 883
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦૪ ] [ શારદા શિરામણ હોય ? ઘેાડા સુખડના અને ઘેાડા બીજા એમ લઉં. તેમણે વેપારીને કહ્યું-મારે થાડા સુખડના અને થાડા બીજા લાકડા જોઈએ છે. લાકડાના વેપારી માણેકચંદ અને ગુણસુંદરને ઓળખતા હતેા. માણેકચ' શેઠે લાકડા માંગ્યા એટલે એ ચમકયા. અરે કંઠ! તમે ? કેાના માટે આવ્યા છે ? વેપારીને ખબર હતી કે ગુણસુંદરને ત્યાં કોઈ માંદુ ન હતું. અચાનક શુ બન્યુ હશે ? શું કેાઈનું હા બેસી ગયુ હશે ? અથવા બહારથી કોઈ આવ્યું હશે તેનું કંઈક બન્યું હશે ? એટલે વેપારીએ પૂછ્યું-માણેકચંદ ! કાણુ ગયું ? આ શબ્દ સાંભળતા માણેકચંદ તા છૂટી પાકે રડયા. તેમનું હૈયું તા ભરાયેલુ` હતુ`. રડતા હૃદયે આવ્યા હતા એટલે આ શબ્દ સાંભળતા તેમનુ' હૈયું તૂટી પડયું. મહામુસીબતે બાંધી રાખેલી આંસુના બંધ તૂટી પડયા. લાકડાનેા વેપારી આ જોતાં આભા બની ગયેા. તેણે માણેકચંદને છાના રાખવા ખૂબ પ્રયત્નો કર્યાં. શેઠ ! શા માટે રડે છે? વેપારીએ તેમને ખૂબ આશ્વાસન આપ્યું. શેઠ ! રશેડા નહિ. આપ શાંત ધાવ. શુ` બન્યુ છે તે વાત કરો. માણેકચંદ શેઠનુ હૈયું ભરાઈ ગયું છે તેથી ખાલી ગકતા નથી. હવે ત્યાં શું બનશે તે અવસરે. આસા સુદ ૨ ને મગળવાર : વ્યાખ્યાન નં. ૮૮ * તા. ૧૫-૧૦-૮૫ જ્ઞાની ભગવંતે ગૃહસ્થ જીવનને સુંદર અને વ્યવસ્થિત બનાવવાને માટે ચાર પુરૂષા નું વર્ણન કર્યું છે. ધમ, અથ, કામ અને મેાક્ષ. માનવજીવનમાં પુરૂષાર્થ કરવાને માટે ચાર સાધન બતાવ્યા છે. શરીર, મન, બુદ્ધિ અને આત્મા. આ ચાર સાધના ચાર પુરૂષાર્થીની પ્રાપ્તિથી સતુષ્ટ થાય છે શરીર અથી સ`તુષ્ટ થાય છે. મન કામથી સંતુષ્ટ થાય છે. બુદ્ધિ ધર્માંથી સ ંતુષ્ટ થાય છે અને આત્મા પેાતાનુ' ચરમ લક્ષ્ય મેાક્ષને મેળવીને સંતુષ્ટ થાય છે. આ ચાર પુરૂષામાં ધમ પુરૂષાને સૌથી આગળ રાખ્યા છે અને મેક્ષને છેલ્લે રાખ્યા છે. જેવી રીતે રેલગાડીમાં સૌથી આગળ એન્જિન હોય છે. ગાડી ચલાવનાર ડ્રાયવર તેમાં રહે છે. ગાડીના છેલ્લા ડખ્ખામાં ગા` હોય છે. વચ્ચે યાત્રિકાના ડખ્ખા હોય છે. ડ્રાયવર ગાડીને સારી રીતે ચલાવે છે. યાત્રિકાને કયાંય દૂર સુધી તેના સ્થાને પહોંચાડે છે. ગાઢ ગાડીની દેખભાળ રાખે છે. બસ, આ રીતે આ ચાર પુરૂષાર્થ જીવનની રેલગાડી સમાન છે. આ રેલગાડી દ્વારા મેક્ષમાં પહેાંચવું છે. આ ગાડીમાં સૌથી આગળ ધ એ એંજિન ડ્રાયવર છે. જે સૌથી આગળ છે. તે આત્માએને આત્મ સાધનાના માર્ગે આગળ લઇ જાય છે. આ ગાડીમાં વચ્ચે અં, કામરૂપી જીવન યાત્રીઓના ડબ્બા છે. તે કાંય ભટકાઈ ન જાય, મા`થી ભ્રષ્ટ ન થઈ જાય એટલા માટે આ ડખ્ખાઓનું નિયંત્રણ ધરૂપી ડ્રાયવરના હાથમાં છે. છેલ્લે મેાક્ષના પુરૂષાથી ગા સમાન વીતરાગી સ’તેા છે. જે આ જીવનગાડીમાં કયાંય ગરબડ થાય, જીવનયાત્રા વિપરીત દિશામાં જતી રહે અથવા માર્ગમાં કાંય ખતરા થાય તે તે માગદશન આપે છે. આપે ઘણી વાર જોયુ' હશે કે જે વૃક્ષનુ મૂળ સૂકાઈ જાય છે તેના પાંદડાં અને ડાળીઓને ગમે તેટલુ સિચન કરવામાં આવેતેા વૃક્ષ હર્યું ભર્યું રહી શકતું નથી. આ
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy