SearchBrowseAboutContactDonate
Page Preview
Page 806
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિશુ ] [ ૭૨૭ તમારી થઈ ગઈ ? હા. તેા રાષ્ટ્રપતિ કે કેઈ સારા હૈ।દ્દેદારની ખુરશી ઉપર રૂમાલ પાથરી આવેા એટલે એ ખુરશી તમારી થઈ જાય. ભાઈ ! એક વાત યાદ રાખા, આ દુનિયામાં રૂમાલ તે બદલાયા કરે છે પણ સીટ તેા સદાને માટે એની એ રહે છે. તમે આજે આ ગાડીમાં આવ્યા પણ તે પહેલા સીટ તે અહીં હતી અને તમે જ્યારે તમારા સ્ટેશને ઉતરી જશે! ત્યારે પણ આ સીટ તે અહી. રહેવાની છે, માટે આ સીટ માટે કોઇ ઝઘડા કરવાની કે ક્રોધ કરવાની જરૂર નથી. હવે પેલેા ભાઈ શુ ખાલે ? માલિક બદલાયા કરે, સામગ્રી એની એ ; ખસ, આ જ દશા સંસારની છે. તમે સંસારના સુખના જે જે સાધના વસાવ્યા અને જેના પર માલિકીપણું કરીને બેસી ગયા છે, જે મેળવવા માટે અઢળક પાપા કરો છે તે બધી વસ્તુએ અહીંને અહી' પડી રહે છે અને તેના પર માલિકીપણુ રાખનારા બદલાયા કરે છે. જે સ`પત્તિના, ચીજોના પહેલા ખાપ માલિક હતા તે ચાહ્યા ગયા પછી પુત્ર તેના માલિક થાય છે. કાઈનું પુણ્ય પરવારે તેા તેની હયાતીમાં તે ચીજો ચાલી જાય છે અને રહે તે તેનું આયુષ્ય પૂરું થતાં તે ચાલ્યા જાય છે પણ એ સીટ તે ખાલી કરવી પડે છે, તેથી મહાપુરૂષા કહે છે કે આ જીવ હમેશા જ્યાં ગયા ત્યાં દેવાળિયાની જેમ જિંદગી વીતાવી છે, ચાહે રાજા હાય કે રંક હાય, નગરશેઠ હાય કે નાકર હાય, સમ્રાટ હોય કે ભિખારી હોય, બધા દેવાળિયા બનીને આ દુનિયામાંથી વિદાય થાય છે. વળી માનવી જે ચીજો લેાગવે છે તેના પર તે એવા આસકત બને છે કે આ બધા પદાર્થાં જાણે એને જિંદગીમાં ક્યારે ય મળ્યા નહાતા. આ ભેગે પક્ષેાગની સામગ્રીઓમાં નિય ́ત્રણ મૂકવા માટે ભગવાને મર્યાદામાં આવવાનુ કહ્યું છે. શરીર એક ફેકટરી છે : આ સંસારમાં સૌથી વધુમાં વધુ રાગ શરીર પર છે. આ શરીરને શેાભાવવા, સાચવવા અને તેના રક્ષણ માટે અનેકાનેક ચીજોને ભેગ ઉપલેાગ કરે છે. જો શરીર પ્રત્યેના રાગ, મમત્વ ઘટે તેા બીજી વસ્તુઓ પર મમતા ઘટતા વાર નહિ લાગે. બાકી આ પેટની ગાગર તેા એવી છે કે તેની ઊં`ડાઈનુ માપ નીકળી શકે એવુ નથી. મેાટા મેઢા મહાસાગરોની ઊંડાઈના માપ કાઢયા છે પણ આ પેટની ગાગરનું માપ નીકળી શકતું નથી. વિચાર કરા, અત્યારે તમારી ઉંમર ૫૦ વર્ષની, કોઈની ૬૦ વર્ષની થઈ હશે તેા આટલા વર્ષોમાં આ પેટમાં કેટલું' અનાજ નાંખ્યુ હશે ! છતાં અત્યારે તેમાં એક બેલેન્સ કેટલુ' ? શૂન્ય. રાજ સવાર પડે એટલે એની એ જ સ્થિતિ. આ પેટમાં કેટલુ અનાજ નાંખ્યુ. તેના કોઈ હિસાબ નથી અને જો નવું ન આપે તેા હેરાન કર્યા વિના રહે નહિ. તેના સ્વભાવ તે એવેા વિચિત્ર છે કે આ શરીર રૂપી ફેક્ટરીમાં સારામાં સાથે ટેસ્ટદાર માલ પણ અશુદ્ધ અને ખરાબ બોમય બની જાય છે આવા શરીર પ્રત્યે રાગ કરીને આ જીવ અનાદિકાળથી ભટકયા છે. આ શરીરને પુષ્ટ બનાવવા માટે જીવે ભક્ષ્યાભક્ષ્યના વિવેક રાખ્યા નથી અને અનંતા પાપા માંધ્યા છે. હવે જો પાપના ભય લાગ્યા હોય તેા મર્યાદામાં આવે.
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy