SearchBrowseAboutContactDonate
Page Preview
Page 559
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૦ ? [ શારદા શિરમણિ તમે બાધા ક્યાં જાવ છો? જરા ઊભા તો રહે. આ ધારિયા લઈને તેની સામે લડવા જાવ છે? પેલા સૂર્યની સામે. એણે તમારું શું બગાડ્યું છે? ભાઈ! તેની તો વાત જ ન પૂછશેઅમે સવારના દુકાને જઈએ ત્યારે તે અમારી સામે આવે છે અને અમને હેરાન કરે છે. સાંજે ઘેર જઈએ ત્યારે પણ તે અમારી સામે આવીને હેરાન પરેશાન કરે છે. ઘણા દિવસો સુધી સહન કર્યું. હવે તો તેને તેડી પાડવા જઈએ છીએ. વણિકના મનમાં થયું કે આ બધા ગાંડાઓ ભેગા થયા છે તે હું એમને બરાબર ફસાવું. એટલે તેણે વણિક બુદ્ધિ વાપરીને કહ્યું, તમારી વાત બરાબર છે. આપણે કાંઈ નમાલા છીએ તે એને ત્રાસ સહન કરીએ પણ આપ એક વાત સમજે. - સૂર્યની સાથે તે માટે કેટલાય વર્ષોથી ગાઢ પરિચય છે. સૂર્યની શક્તિ કાંઈ કમ નથી. કેઈ સૂર્યને જીતી શક્યા નથી. ભલભલા ભડવીર પણ તેની સામે હારી ગયા છે. જે તમે કહે તમે ઘેરથી નીકળે ત્યારે અને જાવ ત્યારે તમને તે હેરાન ન કરે એવું કંઈક કરી આપું. તે માટે પ્રયત્ન કરું પણ તેને સમજાવવા માટે કે તેની સાથે લડવા માટે વકીલ રોકવા પડે તે બધા પૈસા તે જોઈએને ? આપ મને શું આપશે ? તમે કહો તે. આપ મને બે હજાર રૂ. આપે. વણિકે બે હજાર લઈ લીધા અને કહ્યું કે તેને સમજાવવા માટે મારે એક મહિને જોઈશે. ટોળું તે વિખેરાઈ ગયું. વાણિયે મનમાં હરખાતે ઘેર ગયે. થોડા દિવસ બાદ પેલે ગમાર વણિકને મળે. તેણે પૂછયુંભાઈ ! આપ સમજાવવા ગયા હતા ? પાસા બરાબર પડે તેમ છે ને ? હા....હાતે છેડા ઢીલું પડી ગયો છે. હજુ તે આપણી પાસે દિવસ છે. બધું બરાબર કરી દઈશ. ૨૯ દિવસ પૂરા થયા એટલે ગમાર વણિકને પૂછે છે ભાઈ ! શું થયું ? તે માની ગયે ખરે ? હા. પણ તેણે એક શરત કરી છે તે કબૂલ કરવી પડશે. બેલે ભાઈ, કઈ શરત છે ? તમે જ્યાં દુકાન રાખી છે ત્યાં ઘર કરી દે અને જ્યાં તમારું ઘર છે ત્યાં દુકાને કરે. બસ, આટલી વાત તમે સ્વીકારતા હે તે એ તમને જિંદગીમાં હેરાન નહિ કરે. બેલે આ વાત મંજૂર છે? હા. બીજે દિવસે દુકાન થઈ ગઈ પશ્ચિમ દિશામાં અને ઘર થઈ ગયું પૂર્વ દિશામાં. એટલે હવે ઘેરથી દુકાને જાય તે ય સૂર્ય પાછળ રહ્યો અને દુકાનેથી ઘેર આવે તે પણ સૂર્ય પાછળ રહે. બધાની મુશ્કેલી મટી ગઈ અને વાણિયે મફતમાં ર૦૦૦ રૂ. કમાઈ ગયે. આપણા આત્માએ પણ આવા ગમાડા નથી કર્યા ! બધાનું મુખ સુખ સામે છે અને પીઠ દુઃખ સામે છે. ચાર ગતિમાં ગમે ત્યાં જીવ ગયા ત્યાં દષ્ટિ સુખની સામે રહી છે. આ સુખ તરફની દેટે જીવને વધુ દુઃખી કર્યો છે. આ દષ્ટિ બદલવાની જરૂર છે. જે સુખ તરફ પીઠ કરીએ અને દુઃખ તરફ મુખ કરીએ તે પછી જુઓ જીવન જીવવાની મઝા કેવી આવે છે? મોક્ષ ગતિને પામેલા અનંત આત્માઓએ દુઃખ તરફ મુખ કર્યું છે અને સુખ તરફ પીઠ કરી છે. અરે, તેઓએ તે સામેથી દુખોને બોલાવ્યા છે અને વગર બેલાચ્ચે આવેલા સુખને જરાય આદર નથી કર્યો તે તેઓ કાયમી દુઃખ મુક્ત
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy