SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરેમણિ ] [ ૪૨૩ ભગવાન મહાવીરે દુઃખને પિતાને મિત્ર બનાવ્યો. તેમણે વિચાર્યું કે હું મગધ દેશમાં મારી રાજધાનીમાં રહીશ, વિહાર કરીશ તો લેકે મારા સત્કાર સન્માન કરશે. તો મારી સાધના સિદ્ધ નહિ થાય. પરિચય અને પ્રસિદ્ધિ તે પતનનું કારણ છે એટલા માટે ભગવાન અનાર્ય દેશમાં ગયા જ્યાં કોઈ પરિચિત ન હોય. કેટલાક અનાય લેકે કુતૂહલ માટે કૂતરાઓને છૂ છૂ કરી પ્રભુની પાછળ દેડાવતા અને ભગવંતને કરડવા માટે પ્રેરતા હતા. ત્યાં લોકોએ અસભ્ય વર્તન કર્યું. આહારને બદલે માર અને પાણીના બદલે પ્રહાર પડયા છતાં ભગવાનના અંતરમાં પ્રસન્નતા હતી. પૈર્ય અને સહનશીલતાની પૂરી કસોટી હતી. ભગવાન મહાવીર સ્વામીને શ્રદ્ધા હતી કે મારી સાધના અહીં પૂરી થશે. અવિવેક દશામાં જે મેં કર્મોના બંધ કર્યા છે તે કમેને મારે નાશ કરે છે. ભગવાને એ બધા કષ્ટોને પોતાના મિત્રો માન્યા. અપમાનનું પણ હસતા મુખે સ્વાગત કર્યું. તેમણે દુઃખોનો સ્વીકાર કર્યો અને આપણે રોજ તેને તિરસ્કાર કરીએ છીએ. પોસ્ટમેન તાર લઈને આવે છે. આપ સહી કરીને તાર લઈ લે છેપછી તારે ખેલીને વાંચે છે. કદાચ એ તારમાં ભયંકર દુઃખમય સમાચાર હોય તે તમે પિસ્ટમેનને ગાળે દેશો ખરા? ના. ત્યાં તે સમજે છે કે પિટમેન તો માત્ર નિમિત્ત છે. અશુભ કમેં આપણા છે તે ભેગવવા પડે. બસ, આપણુ ભગવાને આ વાત બતાવી છે. પિસ્ટમેનની સાથે આપ જેવો વ્યવહાર કરે છે તે સંસારમાં કરશે તો આત્મામાંથી પરમાત્મા બની જશે. આપની સાથે કેઈએ ખરાબ વર્તન કર્યું. આપને દુઃખ આપ્યું તે એને કર્મરાજાને પિસ્ટમેન માની લે. પિસ્ટમેન સરકારનો પ્રતિનિધિ છે અને દુઃખ કર્મ રાજાને પ્રતિનિધિ છે.” અજ્ઞાન દશામાં ભૂતકાળમાં જે કર્મો કર્યા છે તેનું કારણ આપણે પોતે છીએ. કર્મબંધનથી મુક્ત થવાને માટે દુઃખ આશીર્વાદ રૂપ બને છે માટે પ્રસન્નતાપૂર્વક દુઃખનું સ્વાગત કરે. જે જે મહાન સાધકે થઈ ગયા તે બધાએ દુઃખનું પ્રેમથી સ્વાગત કર્યું. કષ્ટો આપનારને પરમ ઉપકારી માન્યા. આપણે એ બધાને ઘોર અપકારી માન્યા. આપણે બધા એવા પ્રસંગે આવે કર્મ બાંધીએ છીએ. વેદનાઓ એક સરખી, કષ્ટ, ઉપસર્ગો એક સરખા છતાં પરિણામમાં આસમાન જમીનનું અંતર. તેઓ સંસારથી મુક્ત બની ગયા જ્યારે આપણે બાંધતા ગયા. તેઓ મંત્રીને આદર્શ મૂકતા ગયા. આપણે શત્રુતા વધારતા ગયા. હવે જીવનને સંસારથી મુક્ત બનાવવું છે તે માટે આપણું વર્તન આપણે સુધારવાનું છે. કેઈ આપણને હેરાન કરવા આવે તો તેને હેરાન કરવાનો વિચાર નહિ કરતા તેમના પ્રત્યે હૈયાના હેત વરસાવવા. તેને શત્રુ નહિ પણ મિત્ર માનવા અને કર્મ ખપાવવામાં ઉપકારી માનવા તો સાધના સફળ બને. પહેલા મહાપુરૂષોને જે ઉપસર્ગો આવ્યા છે તેવા અત્યારે નથી આવવાના. અત્યારે કઈ ગાળ દે, કટુવચન કહે અગર કેઈના તરફથી પ્રતિકૂળતાઓ ઊભી થાય તે બધાને જે આપણે હસતા મુખે વેઠી લઈએ તો શું કર્મોને હટાવી ન શકીએ? જરૂર હટાવી શકીએ. જે હસતા મુખે કષ્ટોને વધાવીશું તે જરૂરથી
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy