SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૦ ] [ શારદા શિરામણિ પડે છે. કૂવામાં ગયા પછી પાણી મેળવવા માટે ઘડાને વાંકુ વળવું પડે છે ત્યારે પાણી અંદર ભરાય છે આ રીતે આત્મામાં જ્ઞાનરૂપી પાણી ભરવું છે તેા વિનયથી વાંકા વળવુ' જોઈ એ માટે આપ જગા બદલે. આપના સ્થાને ચડડાળને બેસાડો અને આપ તેની જગાએ બેસે. જ્યાં સુધી આપણે વિનયથી નાના નથી બનતા ત્યાં સુધી કદાચ વસ્તુની માહિતી મળશે પણુ અંતરનુ` જ્ઞાન નહિ મળે. આ જ્ઞાન વિનય વગર નહિ મળે. મગધના મહાન સમ્રાટ હાવા છતાં પેાતે ચંડાળના સ્થાને બેઠા તે વિદ્યા મેળવી શકયા. આ રીતે જ્યારે વિનયથી વાંકા વળીશું ત્યારે આત્મામાં જ્ઞાન ભરાવાનુ છે. વિનયથી મનુષ્ય ગેાલે છે. સુરભી અને શીતળતાથી જેમ ચંદન શેાલે છે, સુધાની સૌમ્યતાથી જેમ ચંદ્રશાલે છે, માય થી જેમ અમૃત શાલે છે, તેમ વિનયથી, નમ્રતાથી મનુષ્યનું જીવન શેાભી ઊઠે છે. વિનયથી ખીજાના હૈયાને જીતી શકીએ છીએ. “ માં ચાળામાં માનન' વિનય: ’' જગતના સર્વાં કલ્યાણાનું જો કોઈ ભાજન હેાય તેા વિનય છે. ઉદારતા આદિ ગુણા હાવા છતાં જો વિનય ગુણુ ન હેાય તે એ ગુણ્ણા આંતર બાહ્ય અને ક્ષેત્રોમાં જોઈ એ તેવું પરિણામ લાવી શકતા નથી. ઉદારતાથી સામાનું દિલ જીત્યું પછી જો નમ્રતાને ખલે અહ`કાર બતાવવા જાવ તે સામાના મનમાં થશે કે તારી ઉદારતા રાખ તારી પાસે. દુનિયામાં દાનેશ્વરી તુ કાંઈ એકલા નથી. દરેક ગુણુના પાલનમાં વિનય તે વણાયેલા દાવા જોઈએ. સર્વાંત્ર પ્રસન્નતાભર્યું વાતાવરણ સર્જવાની તાકાત વિનયમાં છે અને સર્વત્ર લોકપ્રિય અનાવવાની તાકાત પણ વિનયમાં પડેલી છે. : પાંચમે ગુણ છે શીલવાન ઃ માનવી ઉદાર હાય, કરોડો રૂપિયાનું દાન દેતેા હાય, વિનયવાન હોય પણ જો તેનામાં શીલ નથી, ચારિત્ર નથી તે તે આત્મા લોકપ્રિય બની શકતા નથી. સુગંધ વિનાના પુષ્પની જેમ કોઈ કિંમત નથી તેમ શીલ વિનાના જીવનની પણ કાઈ ક ́મત નથી. જ્યાં શીલ નથી ત્યાં જીવન પ્રાણ વિનાના કલેવર જેવુ' છે. શાસ્ત્રના પાને, ઇતિહાસના પાને કંઈક દાખલા આવે છે કે શીલની રક્ષા માટે તેમણે કેટલા કેટલા કષ્ટો વેઠયા છે. અરે ! પ્રાણ કુરબાન કર્યાં છે પણ શીલથી ભ્રષ્ટ થયા નથી. કહેવાય છે કે “સારુ વિચારવું એ સારુ છે પણ તેના કરતાં સારુ કરવુ એ વધુ શ્રેષ્ઠ છે અને એના કરતાં ય સારા થવુ એ વધુ શ્રેષ્ઠ છે.” મહાપુરૂષ કહે છે કે આત્માએ આત્માના સ્વભાવમાં રમવું તેનું નામ શીલ. દરેક વસ્તુ પેાતાના સ્વભાવમાં હાય તા સારી લાગે. કાઈ પણ વસ્તુ પેાતાના સ્વભાવ મૂકી ખીજામાં ભળે તેા સારી ન લાગે. સાકર મીઠી હોય, મીઠું ખારુ હેય, અફીણુ કડવું હોય તેમ આત્મા પેાતાના સ્વભાવમાં રહે તે શીલસ પન્ન ગણાય. જે આત્મા સપૂર્ણ બ્રહ્મચર્ય પાળે છે તે તેા પ્રશ'સાપાત્ર છે પણ જેની તેટલી તાકાત ન હેાય તે પેાતાની પત્નીમાં સંતાષ માને અને પરસ્ત્રીના ત્યાગ કરે તે ય સારો છે. જેનામાં દાનના ગુણુ હાય તેના માટે આ ગુણ તે સહેજ રીતે આવી જાય. આ શીલ ગુણ આવે એટલે તેની ખેાલચાલ, રીતભાત સુધરી જાય. તે ધન અને ભાગને ભૂંડા માને. તેનું જીવન અનેક ગુણાથી
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy