SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૬ ] [ શારદા શિરામણ બની શકશે. ત્યાગ અને બલિદાનના કારણે વ્યક્તિ લાકપ્રિય અની શકે છે. વ્યક્તિઓને લીધે સંસ્થાએ જીવતી બને છે. ધમ મહાપુરૂષાથી ચાલે છે માટે એ ક્ષેત્રમાં કામ કરતા પુરૂષના જીવનમાં લેાકપ્રિયતા અનિવાર્ય ગણાય છે. પેાતાના આત્મલિદાનના કારણે આવી વ્યક્તિ આદરણીય બને છે. ત્રીજો ખેલ છે દાનરૂચિ : દરેક માણસે પોતાના કુટુંબની સ્થિતિને અનુકૂળ કાંઇક દાન કરવું જોઇએ. જીવનમાં ઉદારતા હોય તેા દાન દેવાય. ઉદારતાના ગુણ જીવનમાં મૈત્રી વધારે, શીલવાન મનાવે, દુશ્મનાવટ તેાડી નાંખે અને લેાકપ્રિય બનાવે. લોકપ્રિય બનવા માટે અતિ મહત્ત્વના ગુણુ દાન ત્યારે ખીલે કે જ્યારે બીજાના દુ:ખે દુઃખી થવા જેટલું આપણુ' દિલ કમળ હોય. એ નમળતા ઉભી થયા વિના દાનરૂચી ઊભી થવી મુશ્કેલ છે માટે દાનગુણને તમામ ક્ષેત્રમાં અમલી બનાવી દે. યાદ રાખા કોઈ ને આવતી કાલ કેવી ઉગશે તે ખબર નથી. આત્માની સાથે લઇ જવાતું ભાતું આપણે અત્યારથી તૈયાર કરવાનુ છે. મરાઠીમાં દાનને ‘ દેવ ’ કહે છે એટલે જેના અંતરમાં દેવ વસ્યા હાય એને દાનના વિચાર આવે છે. જેનામાં લેવાની અને લૂંટવાની ઇચ્છા છે તેનામાં દેવત્વના અંશ હોતા નથી. અનાદિકાળથી માનવી લેવાનું કા કરતા આવ્યા છે. હવે દેવાના સમય આવ્યેા છે. છતી શક્તિએ દાન ન દેવુ એ માટ અપરાધ છે. જે જીવ મળવા છતાં દેતા નથી તે જાય ત્યારે તેની પાછળ એમ ખેલાય છે કે ખિચા આપી શકયેા નહિ. તમારે બહાદુર ખનવુ છે કે બિચારા ! એ તમારા હાથની વાત છે. યાદ રાખો જેટલુ દિલાવર દિલથી દેશ તેટલું મળવાનુ છે. હિન્દુ ધર્મમાં પણ કહ્યું છે કે જે દે છે તે દેવ છે અને લીધે જ રાખે છે તે દાનવ છે. આ જીવે પૃથ્વી, પાણી, વનસ્પતિ, વાયરો બધા પાસેથી લે લે જ કર્યું છે પણુ હજુ દેતા શીખ્યા નથી. કરોડોની સ'પત્તિ હશે પણ સાથે તે! કઇ જવાનું' નથી. જેટલા વાપરશો તેટલા પરલોકની સદ્ધર બેંકમાં નાણાં જમા થવાના છે. ધનું આદિ પદ્ય દાન છે. દાન આપવામાં આનંદ છે. લેવામાં લાચારી છે. “ જેના જીવનમાં દાન નહિ તે ના-દાન ” લેવાનુ ખધેથી, આપવાનુ કોઇને નહિ આ તે કેવા ન્યાય ! દાનની પાછળ તેા આત્માના આનંદ વહેવા જોઇએ. દિલની આવી ઉદારતા એનુ નામ સાચુ' દાન. આજે જેમની પાસે ધન છે તે તેમના પાછલા ભવાના દાનાદિ સુકૃત્યનુ ફળ છે. શાસ્ત્રકારોએ દાનધર્માંના મહિમા બતાવતા કહ્યું છે કે શીલ, તપ અને ભાવધર્મનું પાલન કરવાથી માત્ર પેાતે સ'સારસમુદ્ર તરી શકે છે જ્યારે દાનધમ થી દાન આપનાર અને લેનાર 'નેસ'સારસમુદ્ર તરી શકે છે. દાનધમ થી વિપત્તિઓ દૂર ચાલી જાય છે અને સ'પત્તિ પગલે પગલે પ્રાપ્ત થાય છે. દુશ્મન દોસ્ત બને છે અને દુન માણસ પણ સજ્જન અને છે તેની યશકીતિ ફેલાય છે. શ્રી તીર્થકર ભગવંતા પાતે દીક્ષા ગ્રહણ કરતાં પહેલાં એક વર્ષ સુધી દાન કરે છે. તે દાન કેટલુ' કરે છે તે તમે જાણા છે ? સૂર્યાંયથી માંડીને અપેારના ભેાજન સુધી
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy