SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ ] [ શારદા શિશમણિ કે જે ભૂલ કરી એ ભૂલ ફરીવાર કયારેય જીવનમાં ન થાય તેવા કરાર કરે છે. સ્થૂલિભદ્ર ૧૨ વર્ષ રૂપાશાને ત્યાં રહ્યા. એ ભૂલ તેા કરી. ખુદ તેમના પિતા મરી ગયા ત્યારે ખેલાવ્યા તેા પણ આવ્યા નહિ, એ ભૂલના કરાર કર્યાં પછી દીક્ષા લઈ ને ગુરૂદેવે ત્યાં ચાતુર્માસ મેાકલ્યા તે ત્યાં ચારિત્રમાં-બ્રહ્મચર્ય માં એવા અડગ રહ્યા, એની સામે એવી ટક્કર ઝીલી કે તેમના પ્રભાવે કશા સાચી શ્રાવિકા બની ગઈ. તેમની છત ખૂબ મજબૂત ને પાકી બની ગઈ હતી. કદાચ તમે ઉપાશ્રયમાં ઓછા આવી શકે પણ તમારી છત મજબૂત રાખજો. તમારી છત મજબૂત હશે તેા કોઈ તમને ધમથી ડગાવી શકશે નહિ. ધમ શ્રદ્ધાથી ડગાવવા માટે કોઈ પ્રલેાભના આપે, લાલચે આપે કે ભય બતાવે ત્યાં જો તમારી છત પાકી હશે તેા તમે કહી દેશેા કે મારુ ધન રહે તે ભલે ને જાય તા ય ભલે પણ મારા દેવ તા અરિહંત ભગવાન છે. ગુરૂ તા મારા નિગ્રન્થ ગુરૂ છે અને કેવલી પ્રરૂપિત ધમ એ મારા ધર્મ છે. સ્થૂલિભદ્રે મનની છત કેટલી પાકી કરી હશે કે ગણિકાના સગમાં રહેવા છતાં તેના રંગમાં તે ન રંગાયા પણુ રૂપકોશાને ધર્મના ર'ગે ૨'ગી દીધી અને સાચી શ્રાવિકા બનાવી. તમે શું કરશેા? તમારા મિત્રને જૈન બનાવા અને તમારા દીકરા દીકરીઓને એવા સ`સ્કાર આપે કે ઉપાશ્રયે આવતા થાય અને જૈન ધર્મમાં શ્રદ્ધાવાન અને તે હું સમજીશ કે તમારી છત મજબૂત છે. સ્થૂલિભદ્ર રૂપાશાને ત્યાં ચાતુર્માસ કરીને આવ્યા, સિ'હગુફાવાસી મુનિ સિંહની ગુફામાં ચાતુર્માસ રહ્યા. કેટલુ' કહેણુ ! આ મુનિ ચામાસુ` કરીને આવ્યા ત્યારે ગુરૂએ કહ્યું : દુષ્કર. નાગના રાડે કરીને આવ્યા તેને કહ્યું, દુષ્કર અને કૂવાના કાંઠે કરીને આવ્યા તેને કહ્યું દુષ્કર. પણ જે રૂપાશા વેશ્યાને ત્યાં ચાતુર્માંસ કરીને આવ્યા, એવા સ્થૂલિભદ્રને ત્રણ વાર કહ્યું દુષ્કર....દુર....દુષ્કર. આ સાંભળીને સિ'હગુફાવાસી મુનિને સ્થૂલિભદ્ર પ્રત્યે ઈર્ષ્યા આવી. તેથી તે રૂપમેશાના બંગલે જવા તૈયાર થયા. રૂપાશાએ તેમને આવતા જોયા. રૂપકોશા તેા હવે સાચી શ્રાવિકા ખની ગઈ છે. તેને થયુ` કે લાવ, તેમની પરીક્ષા તેા કરું. મુનિની પરીક્ષા કરવા નાચગાન, હાવભાવ કરવા લાગી. સહેજ નિમિત્તમાં આ મુનિ ગુલાંટ ખાઈ ગયા. કારણ કે તેમની છત મજબુત ન હતી, પણ તકલાદી હતી. તકલાદી તેા કેવી કે એક જ વખતના વેશ્યાના હાવભાવ ભર્યાં દશને પણ તે ગાથાં ખાઈ ગયા. જો ચારિત્રની છત મજબૂત હાય તે ઉપરથી દેવાંગના નીચે ઉતરે તેા પણ ડગે નહિ. મનની છત મજબૂત બનાવી દે. અત્યારે મનની છત કાચી છે પણ મજબૂત બનાવ્યા વિના છૂટકો નથી. ચારિત્રમાં, તપમાં ભાગના ત્યાગમાં, સહનશીલતા આદિમાં છત મજબૂત જોઈશે. અત્યારે જે ભાઈ એના તપ સાધનામાં જોડાઈ ગયા છે તેમની મનની છત જો મજબૂત હશે તેા ધ્યેયને સિદ્ધ કરી શકશે. એક વાત યાદ રાખજો કે વરસાદને વરસતા અટકાવવાની આપણી તાકાત નથી વરસવું એ તે એના સ્વભાવ છે કયારેક એ ધીમે વરસે તેા કયારેક એસીતમ વરસે.
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy