SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ ] [ શારદા શિશમણિ હૃદયમાં કાતરી રાખજો. આપણે બધા એ જ ભગવાન મહાવીરના સેવક છીએ. આપણી પણ શ્રદ્ધા એવી હોવી જોઈએ. આનંદ શ્રાવકને પ્રથમ આનંદ ગાથાપતિ કહ્યો. તેનું કારણ એ છે કે તે ખૂબ ધનાઢચ હતા. સ્થાવર અને જંગમ મિલ્કતથી શૈાભિત હતા. તેમને ત્યાં રસાડુ એટલુ મેાટુ' ચાલતુ` હતુ` કે બધા જમી લે પછી પણ કેટલાય માણસા જમે એટલું બધું વધતું હતુ. એટલી ઉદારતાથી રસાઈ કરવામાં આવતી હતી. નાકરચાકર જમે પછી ગરીબ માણસાનું પોષણ થતુ, પછી વધે તે ઢોરોના મુખે જતું. આજના જમાનાની તે વાત જ શી કરવી? થેાડી રસેાઈ વધે એટલે ફ્રીજમાં. તમારી ઉદારતાના મારે શા વખાણ કરવા. કયાં એ જમાનાના ઉદાર દિલી માણસા! કયાં આજની તમારી સંકોચવૃત્તિ! તેમના ઘરમાં ઘણા દાસ, દાસી, ગાય, ભેંસ, અળદ, પાડા આદિ પશુધન પણ ઘણું' હતું. આનંદ ગાથાપતિને ત્રણ વિશેષણેાથી સંબેધ્યા છે. તે આય હતા. એટલે મહાન સમૃદ્ધિ વૈભવાથી યુક્ત હતા. તે દીસ એટલે દીપક જેવા હતા. આ પૃથ્વી વસુંધરા પૃથ્વી છે. “અહુ રત્ન વસુધરા. ” આ વસુંધરા પૃથ્વીમાં રત્ના જેવા ઘણા જીવા પડેલા છે. કુટુંબમાં એક દીકરા હોય તે સારો પાકે તેા જીવન ઉજ્જવળ કરે ને કુટુંબને પણ ઉજ્જવળ કરે. તેની પાસે સંપત્તિ ઘણી હોય છતાં જીવનમાં એકદમ સાદાઈ હોય. કુટુંબનુ પાલનપોષણ કરતા હોય, છતાં નિરભિમાની હેાય. આવા દીકરાને આપણે કુળદીપક કહીએ છીએ તેમ આનંદ ગાથાપતિ ગભીરતા, ઉદારતા આદિ ગુણાથી સ્વ-પર જીવનમાં પ્રકાશ પાથરનારાં હતા. તેમજ અમ્રુતે સ'પત્તિથી કે માણસેાથી કોઈનાથી પરાભવ પામે એવા નહેાતા. આનંદ ગાથાપતિ તિલક સમાન હતા. જ્યાં જુએ ત્યાં આનંદનુ દાન તા હાય જ. તે યશેાકીતિ માટે નહેાતા કરતા, પણ એ સમજતા હતા કે પૂર્વના પુણ્યાર્ચ મળ્યુ છે તેા હું બીજાને કંઈક આપીને જીવનનુ ભાથું બાંધુ. આવા દિલાવર દિલના હતા પણ સંકુચિત ભાવનાવાળા નહેાતા. વાણિય નગરમાં જિતશત્રુ રાજાના રાજ્યમાં આ એક શાભાયમાન વ્યક્તિ હતા. આનંદ ગાથાપતિની વાત સાથે એક ચરિત્ર શરૂ કરવુ` છે. જેથી ખાલજીયાને આનંદ આવે. પુણ્યસાર ચરિત્ર : ઇંદ્રપુર સમ રળિયામણુ ગોપાલપુર અતિસાર મહેલ મદિર ને માળિયા, ગઢ ગઢ પાળ પાગાર.... જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં પાંચાલ દેશમાં ગેાપાલપુર નામનું નગર હતુ`. આ નગર ઇંદ્રપુર જેવું રળિયામણું ને સેહામણુ હતુ. તે નગરમાં ચારાશી ચૌટા અને બાવન ખાર હતા. ઉદ્યાના, બગીચા લેાકાને આનંદ કરવા માટે ક્રીડાંગણેા, કૂવા, સિરતા અને મુસાફરોને રહેવા માટે પ'થીશાલા આદિથી નગરની શેાભા ખૂબ ખ્યાતિ પામેલી હતી. તે નગરના રાજા ખૂબ ન્યાયપ્રિય હતા. રાજા ન્યાયી હોય તેા પ્રજા પશુ ન્યાયવાન હાય. પહેલાના રાજાઓના ન્યાય એટલે ન્યાય, ન્યાય કરવામાં જરા પણ ઢીલા નહિ, પછી પાતાના માટે હાય કે બીજાને માટે પણ બધાને સરખા ન્યાય.
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy