SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ ] [ શારદા શિરોમણિ ને ! ઉલ્ટીઓ થાય છે, છતાં શેઠ તેની દયા ખાતા નથી, કારણ કે તેનું જીવન સુધારવું છે એટલે તે શરીર સામું નથી જોતા પણ તેના જીવન સામે જુએ છે. તેના આત્માનું મગડી ન જાય અને સાસરા–પિયર પક્ષને કલ`તિ ન કરે. બીજો દિવસ થયા. સવારે પુત્રવધૂ પૂછે છે બાપુજી ! આજે પારણુ કરશે ને ? શેઠ કહે બેટી ! આજે તીર્થંકર ભગવાનના કેવળજ્ઞાન કલ્યાણિકનેા દિન છે માટે આજે બીજો ઉપવાસ કરીશ. વહુ મનમાં વિચારે છે કે મારા સસરાજી મને દીકરી કરતાં સવાઈ સાચવે છે. બેટી બેટી કહીને બેલાવે છે ઘરની સારી મિલ્કતની ચાવીએ મને સાંપી દીધી છે. પિતા તુલ્ય મારા સસરા આટલી 'મરે એ બીજો ઉપવાસ કરે તે। મારાથી ખવાય ? ન ખવાય. એટલે તરત કહ્યું પિતાજી ! આપ બીજો ઉપવાસ કરશે। તે હું પણુ આજે ખીજો ઉપવાસ કરીશ. તેને તેા ઉપવાસ વસમેા લાગે છે. છતાં કરવા તૈયાર થઈ. સસરા માને છે કે ઠીક થયુ` છે. ત્રીજા દિવસે પૂછે છે આપુજી ! આજે પારણુ કરશે ને ? ના બેટા. આજે તેા ભગવાનનું નિર્વાણ કલ્યાણક છે, એટલે ત્રીજો ઉપવાસ કરીશ. તમારે કઈ દિવસ આવા કલ્યાણકા આવે છે કે નહિ ? શેઠે ત્રણ ઉપવાસ કર્યા ત્યારે પુત્રવધૂએ પણ ઉત્સાહથી કહ્યું માપુજી ! તમારી તે 'મર થઈ છે. આ ઉંમરે તમે અઠ્ઠમ કરો તા તેા નાની ખાળ છું. શરીર સશક્ત છે. હુ' પણ ત્રીજે ઉપવાસ કરીશ. શેઠ જુએ છે વહે તા ત્રણ દિવસમાં નીતરી ગઈ છે. સાથે એ પણ જુએ છે કે તેના મન પર તપના પ્રભાવ કેટલેા પડયા છે! ત્રણ દિવસ પૂરા થયા. ચેાથા દિવસે બાપુજી ! આજે તે પારણુ કરશે ને ? ના બેટા. આજે તા માટી ચૌદશ છે, માટે હું પારણુ નહિ કરું. ચાથા ઉપવાસ કરીશ. વહુને વસમુ તા લાગે છે. ત્યારે તે પેાતાના આત્માને કહે છે કે ધિક્કાર છે તને ! તારા ઘરડા સસરાએલી શક્તા નથી. બાલતા ફાંકા પડે છે છતાં એ કરે છે તેા તારાથી કેમ ન થાય ? આજે તા ચૌદસ છે કર...ર....થશે. તેણે પણ ચોથા ઉપવાસ કર્યાં. શેઠે પુત્રવધૂની ખૂબ પ્રશંસા કરતાં કહ્યું ! બેટા! તમારા જેવી ધર્માત્મા સ્ત્રીઓના પ્રતાપથી આ ધરતી ટકી રહી છે. વહુના મનમાં છે કે બાપુજી કાલે તા પારણુ કરશે ને? પાંચમા દિવસ આવ્યા. બાપુજી આજે તે પારણું ને? ના બેટા ! આજે તા માટી પૂનમ છે. આપણાથી ખવાય નહિ. જૈનેાથી મેાટી પૂનમે તા ન ખવાય. ત્રીજા દિવસથી પુત્રવધૂનુ શરીર શિથિલ થવા લાગ્યું છે તેણે જીવનમાં કયારે પણ આટલેા તપ કર્યાં નથી, છતાં સાહસથી કર્યાં. તે કહે છે પિતાજી ! તપશ્ચર્યા કરવાથી મારા મનમાં શાંતિ રહે છે. હું પણુ પારણુ' નહિ કરું. પાંચમે ઉપવાસ કરીશ, તેને તા ખૂબ વસમુ લાગ્યું છે. ખાટલામાં સૂતી છે. તપે સર્જે લેા ચમત્કાર : પાંચમા ઉપવાસે તેા પુત્રવધૂના મનની ગુફામાં ક્રામવાસનાના જે મલિન વિચારાનુ ઝેર હતુ. તે બધુ' નીકળી ગયુ. તેના મનમાં શુદ્ધ ભાવાની સરવાણી વહેવા લાગી. આંખમાંથી દડદડ આંસુની ધારા થઈ. ભગવાન ! ધિક્કાર છે મારા આત્માને ! હું કેટલી દુષ્ટા છું. પાપણી છું. આ અભાગણીને સુધારવા માટે
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy