SearchBrowseAboutContactDonate
Page Preview
Page 560
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ૧૧૯ શેઠે મને ખૂબ ધમકાવ્ય. ન કહેવાના શબ્દો કહા અને નોકરીમાંથી છૂટે કર્યો. મારી આંખમાં આંસુ આવી ગયા. શેઠને ખૂબ કાલાવાલા કર્યા પણ મને રાખે નહિ. એટલે મને ચક્કર આવવા લાગ્યા. ઘરનું ભાડું, દવાનું બીલ બધું કયાંથી ચૂકવવું? લથડતે પગે હું ઘેર આવ્યા. સુશીલાને વાત ન કરી. બીજી નોકરી શોધવા લાગે પણું ઘર પાપકર્મને ઉદય હતો પંદર દિવસ રખડે પણ નોકરી ન મળી. સુશીલાને ત્રણ ત્રણ દિવસના ઉપવાસ થયા. બાળક પણ દૂધ વિના ટળવળને હતે. એક વખતનો અનેકને સહાય કરનારે આજે રેટીના બટકા વિના ટળવળે છે. કોઈ એના સામું જેનાર નથી. મોટી મહેલાતમાં હાલનારા શ્રીમંતોને ક્યાંથી ખ્યાલ આવે કે ગરીબાઈના દુઃખો કેવા હોય છે. જયાં હેય હાસ્ય શ્રીમતના, ત્યાં હોય નિસાસા કેના, જ્યાં હેય મહેફિલ શ્રીમતની, ત્યાં હાય રૂદન કેના ત્રણ મિત્રોને મુનિ વાત કરે છે કે મારી પાડોશમાં મેટા ધનવાને મોજમઝા ઉડાવતા હતા પણ કોઈને મારી દયા ન આવી, હું પત્નીની પથારી પાસે બેસીને ખૂબ રડે, ત્યારે પત્ની કહે છે સ્વામીનાથ! આવું દુખ પડે ત્યારે સ્ત્રીઓની આંખમાં આંસું ન આવવા જોઈએ. જો તમે હિંમત હારી જશે તો મારું અને આ બાળકનું શું થશે? મેં એને નોકરી તૂટી ગયાની બધી વાત જણાવી. અને આંસુ લૂછતાં કહ્યું કે સુશીલા! હવે હું તારા પતિ તરીકે લાયક નથી ર, મેં તારા દાગીના અને કપડા વેચી માર્યા, તને દુઃખી દુઃખી કરી નાંખી. તારૂં દુઃખ મારાથી જોયું જતું નથી. જે પતિ પત્નીની બિમારીમાં દવા ન કરી શકે, બાળકને પાશેર દૂધ ન પાઈ શકે એ પતિ કહેવાય? ત્યારે પત્ની કહે છે સ્વામીનાથી એમાં ગભરાવાનું શું? આ તે અનાયાસ તપ કરવાનો યોગ મળે છે. થોડા દિવસ તપાસ કરતાં નેકરી મળી જશે. પત્નીએ ખૂબ સમજાવ્યું. પણ કઈ રીતે મારું મન શાંત ન થયું. રાત પડી ઉંઘ પણ ન આવી મેં પત્નીને કહ્યું તારી વેદના મારાથી જેવાતી નથી. મહેનત કરવા છતાં નોકરી મળતી નથી. કેઈ સહાય આપનાર નથી. હું ગમે ત્યાંથી ચોરી કરીને પૈસા લઈ આવું. ત્યારે સુશીલા કહે છે આ દેહ છૂટી જાય તે કુરબાન પણ આપણે ચેરી કરવી નથી. ખૂબ સમજાવ્યું પણ હું માન્યો નહિ. “મુક્ષિતોન રતિપાપમ્” ભૂખ્યો માણસ શું પાપ નથી કરતો? માણસ ચારે બાજુથી દુઃખમાં ઘેરાઈ જાય છે, હતાશ થઈ જાય છે ત્યારે સજન માણસ પણ ચોરી જેવું અધમ કાર્ય કરવા પ્રેરાય છે. પત્નીએ ખુબ ના પાડી છતાં પાપી પેટને ખાતર ચેરી કરવા તૈયાર થયે. બંધુઓ! એને મેટી ચેરી કરવી ન હતી, એને ધનની ભૂખ ન હતી, જરૂર જેટલું મળી જાય તો એને કંઈ જરૂર ન હતી, પણ કપરા સંગમાં આવી પડે એટલે
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy