SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૧ શારદા સરિતા પ્રભાવથી સ્ત્રીઓ ઝાડથી છૂટી પડી ગઈ. આ છે સત્યને પ્રભાવ. તપના પ્રભાવથી બાંધી શકાય છે ને સત્યના પ્રભાવથી છેડી શકાય છે. વિશ્વામિત્રે જેને તપના પ્રભાવથી બાંધી હતી તેને હરિશ્ચ સત્યના પ્રભાવથી તેમને સ્પર્શ કર્યો કે છૂટી ગઈ. આ બતાવે છે કે તપ કરતાં પ્રભાવ વધી જાય છે. વિશ્વામિત્રને કેપઃ બંને સ્ત્રીઓને મુક્ત કરીને રાજા તે ચાલ્યા ગયા. આ વાતની વિશ્વામિત્રને ખબર પડી એટલે તેમના કેધને પાર ન રહ્યો. તેણે માનીને પૂછયું કે રાજાએ આ સ્ત્રીઓને છેડી કેવી રીતે? ત્યારે માળી કહે છે તે અમે જાણતા નથી પણ રાજાએ સ્પર્શ કર્યો કે તરત તે સ્ત્રીઓ ઝાડેથી છૂટી પડી ગઈ ને તે સ્ત્રીઓ બોલવા લાગી કે જે રાજા હરિશ્ચંદ્રના સત્યને પ્રભાવી તેમના સત્યના પ્રભાવ આગળ વિશ્વામિત્ર ઋષિનું તપ પાણું ભરે છે. આ શબ્દ બોલતાં બોલતાં સ્ત્રીઓ અલેપ થઈ ગઈ. આ શબ્દ સાંભળી વિશ્વામિત્રને કેપ વધી ગયે ને ઈષ્યોને અગ્નિ ભભૂકી ઉઠયે. શું મારા કરતાં એના સત્યને પ્રભાવ વધે? હવે હું એને બતાવી દઉં કે મારા તપને પ્રભાવ કેટલે છે? આમ વિચારતાં કે ધમાં ને કેધમાં વિશ્વામિત્ર રાજસભામાં ગયા. દેવે વિચાર્યું કે મારો પાસે બરાબર પડે છે. તપ અને સત્યની કેવી ચડસાચડસી થશે તે જોઈએ. વિશ્વામિત્ર ઋષિ રાજસભામાં પધાર્યા એટલે રાજા સહિત સૈ સભાજને ઉભા થઈ ગયા અને ઋષિનું સન્માન કરી બેસવા આસન આપ્યું. પણ ઋષિ તે કેધથી ધમધમતા આવ્યા હતા તે બોલ્યા હે રાજન! તમે તે મારા મોટા ગુન્હેગાર છે. ત્યારે રાજાએ કહ્યું જે હું આપને ગુન્હેગાર છું તે આપ મને શિક્ષા કરી શકે છે પણ મેં આપને શું ગુન્હો કર્યો છે તે આપ કૃપા કરીને મને કહો. હે રાજન! તમે મારા ગુન્હેગારોને છેડી મૂકયા તે ગુન્હો ખરે કે નહિ? રાજા વસ્તુસ્થિતિ સમજી ગયા ને કહ્યું કે ગુરૂદેવ! તે ગુન્હેગાર આપના ન ગણાય. જે રાજ્યની હદમાં ગુન્હો કરે તે બધા રાજ્યના ગુન્હેગાર ગણાય. વિવામિત્ર તાડકી ઉઠયા કે મારા આશ્રમના બગીચામાંથી ફળફૂલ તેડયા છે અને રાજ્યના ગુન્હેગાર કેવી રીતે? રાજા કહે છે આશ્રમ આપને છે પણ આશ્રમની માલિકી તે રાજ્યની છે. એટલે તે ગુન્હેગાર રાજ્યના ગણાય તેથી આપ સજા કરવાના અધિકારી નથી. સજા કરવાનું કામ રાજ્યનું છે. આ રાજનીતિ આપે શીખવાડી છે. દરેક માણસ પોતાના મકાનની હદમાં થયેલા ગુન્હાની ગુહેગારને સજા કરવા માંડે, તે કાયદો પિતાના હાથમાં લઈ લે તે રાજ્યમાં ભારે અવ્યવસ્થા ફેલાઈ જાય. આ આપે મને શીખવાડેલ રાજનીતિને આપ કેમ ભૂલી જાવ છો? સભાજનેને સંબોધીને રાજાએ કહ્યું: બોલે, આશ્રમના ફળફૂલ કઈ તોડે તે ગુન્હો રાજ્યનો કે કષિને? સમાજને એકી અવાજે બોલી ઉઠ્યા કે આ ગુન્હો રાજ્યને ગણાય. તો પછી ગુન્હેગારે રાજ્યના ગણાય. તે મેં છોડી મૂક્યા તેમાં મેં
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy