SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ સુજન દુનિતા-અધિકારકેટલાક રાજન પુરૂ નાલિકેર (નાળીયેર)ના સમાન આકારવાળા દેખાય છે, પરંતુ બીજ તે મોરના જેવા આકારવાળા છે એટલે બહારથી જ સુન્દર મનેહર દેખાય છે પરંતુ અંદર તે વિકારી છે. ૫ સજનને સુપડાની ઉપમા અને દુર્જનને ચાલણીની ઉપમાથી ઘટાવે છે. सन्त्यज्यशूर्पवघोषान् , गुणान्गृह्णाति पण्डितः ।। दोषग्राही गुणत्यागी, पल्लोलीव हि दुर्जनः ।। ६॥ વિદ્વાન–સજજન પુરૂષ સૂપડાની પેઠે દે ત્યજી ગુણે જ ગ્રહણ કરે છે અને દુર્જન ચાલણની પેઠે ગુણ તજી દઈ દેષ ગ્રહણ કરે છે. ૬ સજ્જનને હંસની સાથે ને દુર્જનને ભુંડની સાથે ઘટાડે છે. दुर्जनो दोषमादचे, दुर्गन्धिमिव स्करः । सज्जनश्च गुणग्राही, हंसः क्षीरमिवाम्भसः ॥७॥ જેમ ભુંડ દુર્ગધ (વિઝા ) ગ્રહણ કરે છે તેમ દુર્જન દેષજ સ્વીકારે છે. જેમ હંસ પાણીથી મિશ્રિત દૂધ જુદુ પાડીને તેને (દુધને) ગ્રહણ કરે છે, તેમ સજજન પુરૂષ અવગુણમાંથી ગુણજ ગ્રહણ કરે છે. ૭ કેને કઈ વસ્તુ પ્રિય હોય છે.? माक्षिकाः क्षतमिच्छन्ति, धनमिच्छन्ति पार्थिवाः । नीचाः कलहमिच्छन्ति, शान्तिमिच्छन्ति साधवः ॥ ८॥ જેમ માખીઓ પિતાને બેસવા માટે ચાંદાને, (ગડગુમડને) રાજા ધનને, નીચ પુરૂષે કલેશને ઈચ્છે છે, તેમ સંત પુરૂષે શાંતિ ઈચ્છે છે. ૮ દુર્જન તથા સુજન પુરૂષનું અવગુણ ગુણ ગ્રાહીપણું, –(૯ થી ૧૧). प्रच्छादयति दुरात्मा, सुजनः प्रकटयति परगुणान्काले । तिरयति भुवनानि तमस्तान्येव रविः प्रकाशयति ॥९॥ દુરામાં પુરૂષ પારકાના ગુણાને જ્યારે વખત મળે ત્યાએ ઢાંકી દેય છે, અને સુજન પુરૂષ પ્રગટ કરે છે. જેમ રાત્રિ વિષે અંધારું ભુવનેને ઢાંકી દેય છે, અને સૂર્ય ભુવનને પ્રકાશવાળાં કરે છે. ૯--- ગુણગુણ ગ્રહણ કરવામાં સેયના બે ભાગનું દષ્ટાંત - अनुकुरुतः खलसुजनावग्रिमपाश्चात्ययोः सूच्याः । विदधाति रन्ध्रमेको, गुणवानन्यस्तु पिदधाति ॥ १०॥
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy