SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય annen વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. જે દયાળુ થઈને પ્રાણીઓને સર્વ લબ્ધિને માટે સદા નિયમ, તપ અને તેને ઉપદેશ આપે છે અને જેઓ ચતુર્વિધ સંઘને વિષે સદા વિનીત થઈ રહે છે. તેવા સાધુઓ દુરિત–પાપ રૂપી વનને બાળી નાંખે છે. ૨૩ શુભ શુભ કર્મ કરનાર, કરાવનાર, અનુમોદનાર અને સહાય કરનાર એ સર્વને સમાન ફળ થાય છે. ન્દ્રવજા. कर्तुस्तथा कारयितुः परेण, तुष्टेन चित्तेन तथानुमन्तुः। साहाय्यकर्तुश्च शुभाशुभेषु, तुल्यं फलं तत्त्वविदो वदन्ति ॥२४॥ પિત કરનાર બીજા પાસે કરાવનાર, પ્રસન્ન ચિત્તે અનુમોદના કરનાર અને શુભ-અશુભમાં સહાય કરનાર એ સર્વને સરખું ફળ થાય છે. એમ તત્ત્વવેત્તા કહે છે. ૨૪ આ પ્રમાણે કહી ગુરૂ સ્વરૂપ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે, आत्मज्ञान-अधिकार, આત્મજ્ઞાન સંપાદન કરવા માટે જેમણે આત્માને સાક્ષાત્કાર કરેલો હોય તેવા સદગુરૂની આવશ્યકતા છે તે જ્યારે અધિકારી પુરૂષને ઉપદેશ કરે છે ત્યારે તે અધિકારીને આત્માનું વાસ્તવ વરૂપ સમજાય છે, ગુરૂના ઉપદેશથી જેમને આત્મ સાક્ષાત્કાર નથી થયે એવા અજ્ઞાની પુરૂષે જો કદાપિ બહુ કાળ સુધી કે શિષ્યને આ પદેશ કરે છે તે પણ તેને જ્ઞાન થતું નથી. તેમજ નાના પ્રકારના તર્કોવડે ચિંતન કરવાથી પણ માણસને આત્મજ્ઞાન થતું નથી. પરંતુ ખરેખર જેમને આ ત્મજ્ઞાનને અનુભવ થયો હોય તેવા સદ્દગુરૂ દ્વારાજ્ઞાનને ઉપદેશ થાય છે તેજ આત્મજ્ઞાન ઉત્પન્ન થાય છે. જેમ અત્રેથી આપણે અમેરીકામાં આવેલું ન્યુયેક ક્યાં આવ્યું છે તે સંબંધમાં ભૂગોળમાં વાંચીએ તેમજ સ્કુલ માસ્તર મારફત જાણીએ છીએ તે ઉપરથી આપણને ન્યુયોર્કમાં આવેલી વસ્તી, તેમજ વર્તણુક ત્યાંના માણસોની રીતભાત વિગેરેનું જેવું ભાન થાય તેના કરતાં એક માણસ ન્યુયોર્ક જઈ ત્યાં અનુભવ મેળવી ૨૪ ભાગ્યોદય અંક ૮ મે સને ૧૯૧૩ અકટેમ્બર
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy