SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ | રાજાના વિચારથી ખુશ થયે, ત્યારબાદ શુભદિવસે અને શુભવારે પ્રધાને જોષીને લાવ્યા. રાજાએ આદર સત્કાર કરી આસન ઉપર બેસાડી ફુલહાર મેવા મીઠાઈ વિગેરે જેવીમહારાજની આગળ ધર્યા, અને રાજકુંવરને રાજ્યારોહણ કરવા માટે શુભ મુહૂર્ત જોવાનું કહ્યું. જોષી મહારાજે પણ પંચાંગ ટીપણું જોઈ ગણતરી કરીને કહ્યું કે હે રાજન માગશર સુદ પાંચમને રવિવારના અગ્યાર વાગતા તિલક કરવાનું શુભ મુહુર્ત છે. જોષીના મુખથી શુભ મુહૂર્ત સાંભળી રાજા ખુશી થયા, અને સન્માન કરી ઉત્તમ ભેટ ધરી. જોષીમહારાજ પણ ખુશ થઈ પિતાના ઘેર ગયા. સભાજનો પણ ખુશ થયા. રાજાએ જાહેર કર્યું કે રાજકુંવર ગુણીયલ છે, તેમ રાજ્ય ચલાવવાને બધી રીતે યોગ્ય થયેલ છે. જેથી હવે મારી વૃદ્ધાવરથા કારણે ધર્મમાર્ગે ચાલી પરલેક સુધરવા નિવૃત્તિ લેવાની મારી ભાવના છે. આ રીતે જણાવ્યા પછી શહેરમાં ઢંઢેરો વગડાવી જાહેર કર્યું કે રાજકુંવરને માગબર સુદી ૫ને રવિવારના અગ્યારવાગતાં રાજતિલક થશે તો કોઈએ પણ હિંસા કરવી નહી. - ત્યારબાદ રાજાની આજ્ઞાથી પ્રધાને રાસભા શણગારી મેટે વિશાલ મંડપ બળે. અધિકાર મુજબ બેઠકની ગોઠવણી કરી. ખુશાલીના દિવસ અંગે રાજસભામાં જવા ગ્ય ષિાક, આભૂષણ પહેરીને જવાનો નિશ્ચય . રાજકેદીઓને છોડયાં.
SR No.023324
Book TitleShreechatra Bhankunvarno Ras
Original Sutra AuthorN/A
AuthorLalitmuni
PublisherMafatlal Chimanlal Jain
Publication Year1971
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy