SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨) ત્વના સમાગમથી મિથ્યાત્વ ધર્મને જાણવાની, આકરવાની પાળવાની ઈચ્છા થઈ, તો શા કામની? મિથ્યાત્વીના ધર્મમાં હિંસાદિ પ્રાપવૃત્તિઓ ભરેલી હોય છે, અધર્મને ધમ માને છે અને કુમાર્ગને માર્ગ માનેલો છે. એવા મિથ્યાધર્મનું સેવન કરવાથી પાછે સંસારમાં રઝળે. એટલે સુધી રઝળે કે મહામૂલ્યવાળા ચિંતામણિથી અધિક મનુષ્ય જિંદગી ગુમાવી નરક-તિર્યંચાદિ ગતિમાં ઘર વેદના સહન કરવા ચાલ્યો ગયો. મિથ્યાત્વના સેવનથી છની દુર્ગતિ થાય છે તે સંબંધી દષ્ટાંત નીચે પ્રમાણે : મિથ્યાત્વ ઉપર દેવશર્માનું દષ્ટાંત તથા મિથ્યાત્વથી થતી હાનિ. એક નગરમાં દેવશર્મા નામને કઈ બ્રાહ્મણ રહેતું હતું. તેને પુત્ર નહિ હોવાથી પુત્રને માટે પાદ્રદેવી નામની દેવીની ભકિત કરી અને કહ્યું કે, “હે દેવી! તારી પ્રસ નતાથી જે મારે પુત્ર થશે તે હું તારું દેવાલય નવીન કરાવીશ અને પરી આગળ દર વરસે એક બેકડાને હું ચડાવીશ. માટે હે દેવી! મારી વાંછા પૂર્ણ કર-પૂર્ણ કર. વાંચનાર સજજન ! વિચાર કર, મિથ્યાત્વની કેટલી તીવ્રતા, કેટલું જોર, કે આ રત્નચિંતામણિ સરખે મનુષ્યભવ તે બ્રાહ્મણને હિંસા કરવા માટે થયે. તમામ દર્શનકારે પિકાર કરીને કહે છે કે જ્યાં હિંસા ત્યાં ધર્મ નથી, પણ અધર્મ છે. તે અધર્મ સેવનાર પ્રાણી સુખી થતું નથી.” તે હકીકત દેવશર્માને દષ્ટાંતથી જણાઈ આવશે. અહીં દેવશર્માને કાળક્રમે કરી પુત્ર થયે. દેવશર્માએ પુત્રનું નામ દેવીએ આપેલો જાણી દેવીદત્ત રાખ્યું. દેવીનું
SR No.023313
Book TitleVairagya Bhavna
Original Sutra AuthorN/A
AuthorVijaybhaktisuri
PublisherVinodchandra Chandulal Shah
Publication Year1953
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy