________________
શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણસંગ્રહ
યતિધર્મ દશ પ્રકારને છે-૧ ક્ષમા, ૨ માદેવ, ૩ આજીવ, ૪ મુક્તિ, ૫ તપ, ૬ સંયમ, ૭ સત્ય, ૮ શૌચ, ૯ અકિં. ચનપણું, અને ૧૦ બ્રહ્મચર્ય એ શીલના દશ અંગ થયા.
હવે એ દશ યતિધર્મથી યુક્ત એવા મુનિએ ૧ પૃથ્વીકાયસમારંભ, ૨ અકાય-સમારંભ, ૩ તેજસ્કાય-સમારંભ, ૪ વાયુકાય-સમારંભ, ૫ વનસ્પતિકાય-સમારંભ, ૬ હન્દ્રિયસમારંભ, ૭ ત્રિીન્દ્રિય-સમારંભ, ૮ ચતુરિન્દ્રિય-સમારંભ, ૯ પંચેન્દ્રિય-સમારંભ, ૧૦ અજીવ-સમારંભ. એ દશ સમારંભે ત્યાગ કરવાને છે, તેથી દશ યતિધર્મ રૂપ દશ ગુણે દસદસ પ્રકારના થતાં ૧૦x૧૦=૧૦૦ શીલનાં અંગે થયા.
આ યતિધર્મ યુક્ત યતના (૧૦×૧૦=૧૦૦ ભેદે) પાંચ ઇંદ્રિયના જયપૂર્વક કરવાની છે, તેથી તે સે પ્રકારને પાંચ ઈદ્રિના જયરૂપ પાંચ પ્રકારે ગુણતાં ૧૦૦૪૫=૫૦૦ ભેદ થયા.
તે યતિધર્મ-યુક્ત યતના વડે કરવામાં આવેલ ઈદ્રિયજય (૧૦૪૧૦૫=૫૦૦ ) આહાર સંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞાથી રહિત હે જોઈએ. તેથી પ૦૦૮૪=૧૦૦૦ ભેદ થયા.
તે દરેક ભેદ મન-વચન-કાયાથી ન કરવા રૂપ, ન કરાવવા રૂપ અને ન અનુમોદવા રૂપ હોવાથી (૩*૩=૯) દરેક ભેદના ૯-૯ ભેદ થવાથી (૨૦૦૦૪૯–૧૮૦૦૦) અઢાર હજાર શીલના ભેદે થાય છે.
તેની સ્પષ્ટ સમજ માટે અહીં શીલાંગ રથ આપવામાં આવે છે.