________________
(E) યથાખ્યાત – બિલકુલ અતિચાર વિનાનું-મોહનીયકર્મના સંપૂર્ણ ઉદય રહિતનું વીતરાગભાવ વખતનું આ ચારિત્ર હોય છે, જે ૧૧ થી માંડી ૧૪ માં ગુણસ્થાનક સુધી હોય છે.
આ પાંચે ચારિત્રની-તેનાથી મળતા કર્મનિર્જરાના ફળની અર્થાત્, આ પાંચેય ચારિત્રની વિશિષ્ટ ક્ષમતા ઉપર શ્રદ્ધા રાખવી, યથાશક્ય ચારિત્રનું કાયાથી આચરણ કરવું અને અન્ય પાત્ર જીવો સામે તેના સ્વરૂપનું-મહિમાનું-ઉત્કીર્તન કરી વધુને વધુ જીવોને ચારિત્રમાં સ્થિર કરવા તે ચારિત્રનો વિનય છે, તેમ શાસ્ત્રમાં કહ્યું છે.
सामाइयाइचरणस्स सहणं तहेव कायेणं ।
संफासणं परुवणमह पुरओ सव्वसत्ताणं ॥ इति चारित्रविनय ૪ થી ૬) માનસિક-વાચિક-કાયિક વિનય - આચાર્યાદિ (પૂર્વે દર્શવેલા છે તે બધા) સર્વેનું સર્વ કાલ વિશે અશુભ વિચારવું-બોલવું કે કરવું નહીં, અને શુભ વિચારો-વાણી-આચરણને જીવનમાં વણવાનો પ્રયત્ન કરવો. ૭) ઔપચારિક વિનય - ઔપચારિક વિનય સાત પ્રકારે છે. अब्भासऽच्छणं छंदाणुवत्तणं कयपडीकिई तह य । कारिअनिमित्तकरणं दुक्खत्तगवेसणं तह य ॥ तह देसकालजाणण सव्वत्थेसु तह य अणुमई भणिया । उवयारिओ उ विणओ एसो भणिओ समासेणं ॥ અબ્બાસડ∞ળ = સૂત્ર-અર્થ મેળવવાના આશયથી હંમેશા ગુરુની નજીક રહેવું. છંવાળુવત્તળ = ગુરુની ઇચ્છાને અનુસરવું... એમની ઇચ્છા મુજબ વર્તવું. ચપડિવિડ્ = ગુરુની ભોજન-પાણી આદિ દ્વારા ભક્તિ કરવી, કારણ કે તેનાથી ઉત્કૃષ્ટ નિર્જરા તો થાય છે, પણ ઉચિત વિનયથી પ્રસન્ન થયેલા ગુરુ નવા નવા સૂત્ર-અર્થનું જ્ઞાન આપે છે. ગરિયનિમિત્તજ્જળ : ગુરુએ સૂત્ર-અર્થ, ગ્રહણશિક્ષા, આસેવન શિક્ષા આપવા દ્વારા ખૂબ મોટો ઉપકાર ર્યો છે, માટે કૃતજ્ઞભાવે ઉચિત વિનય ક૨વો જોઇએ. વ્રુન્દ્વત્તાવેસળ : રોગ-વ્યાધિ આદિથી પીડિત હોય ત્યારે ઔષધાદિથી સેવા કરવી.
વેસશતનાળન : ઉચિત સમય-સ્થળને જાણી વ્યવહાર કરવો.
હું 2
८८