________________
તેમજ, આગમ સૂત્રોમાં “gવાસાનિ” શબ્દ-પ્રયોગ થયો છે. જેનો અર્થ થાય છે પૂજા કરવી, અર્ચના કરવી. આથી, આ અવસર્પિણીમાં પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ અરિહંત થયાં, ત્યારથી જ જૈનધર્મમાં પૂજાનો માર્ગ સ્થપાયો અને વૈદિક ધર્મ પ્રતિમા-પૂજનાદિ ભક્તિનું જૈનધર્મમાંથી અનુકરણ કર્યું છે. આવું માનવું જોઇએ.
આમ, જિનની ભક્તિ તો માત્ર દર્શન-વંદન રૂપ જ થાય, પરંતુ પૂજા રૂપે ન થાય. આ વાત પણ ખોટી છે. ભક્તિનાં અનેક પ્રકારોમાંથી એક પ્રકાર છે-પ્રભુ પૂજા....
શંકાઃ ભગવાન તો સર્વકર્મમુક્ત થઇને મોક્ષ અવસ્થામાં સ્થાયી થયા છે. એમની સેવાથી તે ખુશ નથી થવાના, તો સેવકોને લાભ શું ?
સમાધાનઃ જિનભક્તિથી થતાં અનેકવિધ લાભો ૧) જેમ ચિંતામણિ રત્ન માંગણી કરનારનાં સર્વ ઇચ્છિતોનો પ્રદાતા બને છે. તેમ નામ-સ્થાપનાદ્રવ્ય કે ભાવ કોઇપણ ભેદે રહેલાં પ્રભુની ભક્તિ સર્વ ઇચ્છિતોની પ્રદાતા બને છે.
૨) શ્રી આવશ્યક નિર્યક્તિ સૂત્ર ગાથા ૧૦૯૮ની ટીકામાં એક અવતરણ ટાંક્યું છે.
भत्तीइ जिणवराणं, परमाए खीणपिज्जदोसाणं । आरु-ग्गबोहिलाभ, समाहिमरणं च पावेंति ॥
અર્થાત્ વીતરાગ અરિહંત પ્રભુની પરમ ભક્તિ કરવાથી ભક્તને આરોગ્યનો લાભ થાય છે-સમ્યકત્વ રૂપી રત્નની પ્રાપ્તિ થાય છે. અને જીવનનાં અંતકાળે સમાધિમરણની પ્રાપ્તિ થાય છે. આ ત્રણ ઉત્તમોત્તમ લાભો જિન ભક્તિ દ્વારા મળે છે.
( ૩) “જિનની ભક્તિ કરતાં કરતાં જિન બની જશો” આ ઉક્તિ ખરેખર વાસ્તવિક છે. મનુષ્યનાં અંતઃકરણમાં નિરંતર જેનો વાસ હોય છે એવો એ થઇ જતો હોય છે. અહીં શાસ્ત્રકારો ઇયળ અને ભમરીનું ઉદાહરણ દર્શાવે છે.
"इलिका भ्रमरीध्यानात्, भ्रमरीत्वं यथाऽश्नुते । तथा ध्यायन्परात्मानं, परमात्मत्वमाप्नुयात् ।।
જ
છે
.
જેને ભક્તિમાર્ગ....