SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ सदा मेऽस्तु भवे भवे ભારત દેશ કેવો ? આ પ્રશ્નનો એક શબ્દમાં જવાબ આપવો, એ “ભારત'ને બરાબર જાણનારા માટે શક્ય નથી. આ પ્રશ્ન થતાંની સાથે જ તેના માનસમાં વેષ, ભાષા, સ્વભાવ અને સૃષ્ટિનું એ વૈવિધ્ય ઉપસી આવે છે, કે જેનું નામકરણ કરવા માટે કોઈ શબ્દ જ ઉપલબ્ધ નથી. “જૈન ભક્તિમાર્ગનું વૈવિધ્ય સમજવા માટે આ એક દ્રષ્ટાંતમાત્ર છે. વિહંગાવલોકનથી જોઇએ તો જૈન દર્શનના અગણિત ભક્તિમાર્ગો દ્રષ્ટિગોચર થાય છે... ત્વમાત્ય સર્વ UિTમત્રા તવેવ તે નાથ ! વિવૃદ્ધત્નફલામ્ ! આ તત્ત્વગર્ભિતા ભક્તિ છે. • ઉમણો સુÇ áવસૂચિમ્ | આ વ્યંગગર્ભિતા ભક્તિ છે. • TUT ન વરિયલ્વો તત્ય ત્તિ શિડ્યાન રે આ શોકગર્ભિતા ભક્તિ છે. • શુદ્વાનુમવસંવેદ્ય તકૂપ પરમાત્મન: કે આ નિશ્ચયગર્ભિતા ભક્તિ છે. • વૃર્થવ સર્વ તવ મવિત્તરીનમ્ * આ ભક્તિગર્ભિતા ભક્તિ છે. • તુમ હી નીવડ નઝીવ દૈ સવઠ્ઠી, દ્ધિ ગનંત પારા 1૬ આ મહિમાગર્ભિતા ભક્તિ છે. • ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો, ઔર ન ચાહું રે કંત ° આ પ્રેમગર્ભિતા ભક્તિ છે. • તું તો સમય સમય બદલાયે, ઇમ કિમ પ્રીતિ નિવાહો થાય ?“ આ નર્મગર્ભિતા ભક્તિ છે. • શિવપદ દેવા જો સમરથ છો, તો જશ લેતા શું જાય ? આ અનુશયગર્ભિતા ભક્તિ છે. • અમે ભક્તિયોગે આણશું મનમંદિર તુમ આજ.° આ આગ્રહગર્ભિતા ભક્તિ છે. • નિજ સ્વરૂપ જે ક્રિયા સાથે તેહ અધ્યાત્મ લહિયે રે.'' આ અધ્યાત્મગર્ભિતા ભક્તિ છે. • ધ્યાન અરૂપી તો સાંઇ અરૂપી.* આ ધ્યાનગર્ભિતા ભક્તિ છે. • કાશી દેશ વારાણસી નગરી, જન્મ લિયો પ્રભુ ક્ષત્રિય કુલ મેં.'' આ ચરિત્રગર્ભિતા ભક્તિ છે. • વીર વહેલા આવો ને, ગૌતમ કહી બોલાવો ને.'' આ વિરહગર્ભિતા ભક્તિ છે. • એકેન્દ્રિયમાં આથડ્યો નિરધનીઓ નિરાધાર.' આ વિરાગગર્ભિતા ભક્તિ છે. પંથો અગણિત છે, પ્રાપ્તવ્ય એક જ છે -પરમાત્મપદ. કર્તત્વવાદ અને અકર્તુત્વવાદ, સાકારવાદ અને નિરાકારવાદ, સગુણવાદ અને નિર્ગુણવાદ-આ બધા જ અગ્નિમાંથી પસાર થઇને જૈન દર્શન સમ્મત પરમાત્મતત્ત્વ જેમ શુદ્ધ સુવર્ણની જેમ ઝળકે છે, બરાબર એ જ રીતે સાફલ્યવાદ અને વૈફલ્યવાદ, તત્ત્વવાદ અને સમ્મોહવાદ, કર્તવવાદ અને અકર્તવ્યવાદના અગ્નિમાંથી પસાર થઇને જૈન દર્શનીય પરમાત્મભક્તિ ૧. શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિકૃત દ્વાદિંશદ્ દ્વાર્નિંશિકા ૧- ૨૮ / ૨. કલિકાલ સર્વજ્ઞકૃત અન્યયોગવ્યવચ્છેદ દ્વાáિશિકા |૧૭ના ૩. મહાકવિ ધનપાલકૃત ઋષભપંચાશિકા. ૪. મહો. શ્રી યશોવિજયજી કૃત પરમાત્મપંચવિંશતિકા //૪ TT ૫. મહો. શ્રી યશોવિજયજી કૃત શંખેશ્વર સ્તોત્ર /૧૫ ની ૬. મહો. શ્રી યશોવિજયજી કૃત શ્રી શીતલનાથસ્તવન. ૭. મહાયોગી શ્રી આનંદઘનજીકૃત શ્રી ઋષભદેવ સ્તવન. ૮. વાચક શ્રી માનવિજય કૃત શ્રી ઋષભદેવ સ્તવન. ૯. શ્રી મોહનકવિકૃત શ્રી આદિ સ્તવન. ૧૦. શ્રી રામવિજયજી કૃત શ્રી ચન્દ્રપ્રભ સ્તવન. ૧૧. મહાયોગી શ્રી આનંદઘનજી કૃત શ્રી શ્રેયાંસ સ્તવન. ૧૨. શ્રી વીરવિજયજી કૃત શ્રી શાન્તિનાથ સ્તવન. ૧૩. શ્રી ઉદયરત્નજી કૃત શ્રી પાર્શ્વનાથ સ્તવન. ૧૪. શ્રી વીર વિજયજી કૃત શ્રી વીર સ્તવન. ૧૫. શ્રી ન્યાયવિજયજી કૃત શ્રી વીર સ્તવન.
SR No.023303
Book TitleYatra Bhaktithi Muktini
Original Sutra AuthorN/A
AuthorTirthbodhvijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy