SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૪] . આહાધમપ્રકાશ પરમાત્માને કંઈ જોતું નથી પણ ભક્તજને સંસારની મેહ-માયાથી છૂટવા, તન, મન અને ધન તેમનાં ચરણકમળમાં સમર્પણ કરી દે છે અને એ ભાવના ભાવે છે કે “હે પ્રભુ ! આ બધી વસ્તુઓના મેહમાં આત્મા જન્મજન્મમાં ગાંઘેલ બને, છતાં ય કઈ જન્મમાં તૃપ્તિ થઈ નથી. હવે આ તુચ્છ જડ પદાર્થોની મૂચ્છ, મેહ-માયા ત્યજી જ્યારે હું આપના જેવો વીતરાગ બનું ? વીતરાગનાં ધ્યાનથી આત્મા વિતરાગ બને છે, કારણ કે દરેક આત્મામાં વીતરાગતાને ગુણ કર્મથી દબાઈને રહે છે. બીજા શબ્દોમાં કહીએ તે આત્મા પરમાત્માસ્વરૂપ છે, માટે જ તો હું રોડને આપણે જાપ જપીએ અને હે પ્રભુ! તારા સ્વરૂપમાં અને મારા સ્વરૂપમાં અંશમાત્ર ફરક નથી, પણ તમે કમરહિત થઈ પરમાત્મા બન્યા, જ્યારે હું કર્મવશ આ સંસારમાં ભમી રહ્યો છું, એમ બેલીએ છીએ. આવી આવી ભાવનાપૂર્વક પરમાત્માની ભક્તિ કરવાથી આત્મા સહેલાઈથી કલ્યાણને સાધી શકે છે. જેવી રીતે જિનેશ્વરદેવની મૂર્તિ આત્માના ઉકર્ષ માટે ઉત્તમ આલંબન છે, તેવી જ રીતે ધાર્મિક પુસ્તકો અને ત્યાગી ગુરુદે વગેરે પણ પ્રશસ્ત-શ્રેષ્ઠ આલંબન છે. તેમની સેબતમાં આવ્યાથી આત્માને પલટે થાય છે, આત્મ સન્માર્ગમાં જોડાય છે, આત્માને વિકાસ થાય છે અને આત્મા સકલ કર્મો તેડવા માટે સમર્થ બને છે.
SR No.023279
Book TitleArhat Dharm Prakash
Original Sutra AuthorN/A
AuthorKirtivijay
PublisherAatmkamallabdhisuri Jain Gyanmandir
Publication Year1959
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy