SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ ગભર વિચાર વળી બે પ્રણવસ્થાન એટલે ભેજન, પાન પ્રગમવાની જગા છે. દક્ષિણ (જમણે પાસે) પરગમે તે દુ:ખ ઉપજે છે, વામ (ડાબે પાસે) પ્રગમે તે સુખ ઉપજે છે. સેળ આંતરા છે. ચાર આંગળની ગ્રીવા ડાક) છે. ચાર પળની જીભ છે. બે પળની આંખે છે. ચાર પળનું મસ્તક છે, નવ આંગળની જીભ છે; બીજે મતે સાત આંગળની કહેવાય છે. આઠ પળનું હૃદય છે. પચીસ પળનું કાળજું છે, (હવે સાત ધાતુના પ્રમાણમાપ કહે છે. તે શરીરમાં એક આ રૂધીરનો અને અડધો આ માંસને હોય છે. એક પાથે માથાને ભેજો, એક આ લઘુનીત, એક પાથે વડીનીતને છે. કફ, પિત્ત, ને લેમ એ ત્રણને એકેકે કલવ અને અડધો કલવ વીર્યને હોય છે. એ સર્વને મૂળ ધાતુ કહેવાય છે. એ ધાતુ ઉપર શરીરનો ટકાવ છે, એ સાતે ધાતુ પિતાના વજન પ્રમાણે રહે ત્યાં સુધી શરીર નીરોગી અને પ્રકાશવાળું રહે છે. તેમાં વધઘટ થવાથી શરીર રેગને આધીન થાય છે. નાડીનું વિવેચન–તે શરીરમાં પગશાસ્ત્રને ન્યાયે તેર હજાર નાડી છે. તેમાંથી નવસે નાડી મટી છે, તેમાંથી નવ નાડી ધમણી ને મોટી છે, તેના થડકારા ઉપરથી રેગની તથા સચેત શરીરની પરીક્ષા થાય છે. તે બે પગની ઘુંટી નીચે બે, એક નાભીની, એક હૃદયની, એક તાળવાની, બે લમણાની અને બે હાથની એ નવ, એ સવ નાડીયોની મૂળ રાજ્યધાની નાભી છે. તેની વિગત એ છે કે નાભીની એકસો ને સાઠ નાડી, પેટ તથા હદય ઉપર પથરાઇને ઠેઠ ઊંચે મસ્તક સુધી પહોંચી છે, તેના બંધનથી મસ્તક સ્થિર રહે છે. તે નાડીઓ મસ્તકને નિયમ મુજબ રસ પહોંચાડે છે, તેથી મસ્તક સતેજ, આરોગ્ય ને તર રહે છે. તે નાડીઓમાં નુકસાન હેાય, ત્યારે આંખ, નાક, કાન, અને જીભ એ સર્વ કમજોર થાય છે, રોગીષ્ટ બને છે, શૂળ, ઝામર વગેરે વ્યાધિઓને પ્રાપ થાય છે, નાભીથી બીજી એસે ને સાઠ નાડી નીચી ચાલે છે, તે પગનાં તળીઓ સુધી પહોંચી છે. તેનાં આકર્ષણથી ગમનાગમન કરવાનું, ઉભું રહેવાનું તથા બેસવાનું બને છે. તે નાડીઓ ત્યાંસુધી રસ પહોંચાડી આરોગ્ય રાખે છે. તે નાડીમાં નુકસાન થવાથી
SR No.023261
Book TitleSthanakvasi Jain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1950
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy