________________
૪૯૪
લોભી દેશ વિદેશ ભમે, ધન કારણ નિજ દેહ દમે,
તડકા ટાઢનાં દુ:ખ ખમે રે. ચેતન૦ ૩ લોભે પુત્રપિતા ઝગડે, લોભે નરપતિ રહે વડે;
લોભે બાંધવ જોર લડે રે; ચેતન૦ ૪
હાટ હાથી લોભે લીનો, કોણીકે સંગર બહુ કીનો; માતામહને દુ:ખ દીનો રે. ચેતન૦ ૫
લોભારંભે બહુ નડીઆ, કાલાદિક નરકે પડીયા;
નિરયાવલી પાઠે ચઢીયા રે. ચેતન૦૬
લોભ તજી સંવર કરજો, ગુરુ પદ પદ્મને અનુસરજો;
રૂપવિજય પદને વરજો રે. ચેતન૦ ૭
૨૩૫ પ્રમાદ વર્જવાની સજ્ઝાય અજરામર જગ કો નહીં, પરમાદ તે છાંડો રે; મિથ્યામતિ મૂકી કરી, ગુણ આદર તે માંડો રે. અજરા૦ ૧
શુદ્ધ ધરમનો ખપ કરો, ટાળી વિષય વિકારો રે; ચોથે અધ્યયને કહે, શ્રી વીર એહ વિચારો રે. અજરા૦ ૨
પાપ કરમ કરી મેળવે, ધનના લખ જેહ રે; મૂરખ ધન છાંડી કરી, નરકે ભમે તેહ રે. અજરા૦ ૩
બંધવ જનને પોષવા,કરે તે મરણ પરે પાપ રે;
તેહના ફળ છે દોહીલાં, સહે એક્લો આપ રે. અજરા૦ ૪
ખાતર તણે મુખે જિમ ગ્રહ્યો, એવો ચોર અજાણ રે; નિજ કરમેં દુ:ખ દેખતાં, તેહનો છે કુણ જાણ રે. અજરા૦ ૫
ઈમ જાણી પુણ્ય કીજીયે, જેહથી સુખ થાય રે; દિન દિન સંપદ અનુભવી, વળી સુજસ ગવાય રે. અજરા૦ ૬
વિજય દેવગુરુ પાટવી, વિજયસિંહ મુણિંદો રે; શિષ્ય ઉદય કહે પુણ્યથી, હુવે પરમ આણંદો રે. અજરા૦ ૭
સજ્ઝાય સરિતા