SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વાધીનતાઃ પરમ સુખ ૮૫ ત્યાગી મહાપુરુષ છે. એમના મુખને ફરસીને જે શબ્દ નીકળે, એ મને સાંભળવા ક્યાંથી મળે ?” કેટલે એમને રાગ હશે? કેટલું બહુમાન હશે ? કેવી જિજ્ઞાસા હશે? માટે જ જ્ઞાની ભગવંતે કહે છે કે-મન રીઝે તનુ ઉલસેજી, રીઝે બુઝે એકતાન. એને તે આનંદ આનંદ થઈ જાય. અને એકતાનતા આવી જાય. આનંદઘનજી મહારાજાએ શાંતિનાથ ભગવાનનું સ્તવન બનાવ્યું છે. એમાં એ ભગવાનને પૂછે છે કે હે પ્રભો! શાંતિનું સ્વરૂપ અમને બતાવે. શાંતિ કેને કહેવાય, ને એનું સ્વરૂપ શું? એ અમને સમજાવો. - સ્તવન અનેક પ્રકારના હોય છે. કઈમાં ભગવાનના ગુણની સ્તુતિ હેય, કોઈમાં પ્રશ્નોત્તર પણ હેય. અહીં પ્રશ્નોત્તર છે. ત્યાં પ્રભુ એમના મઢે એ પ્રશ્નને જવાબ બેલાવે છે. એમાં કહ્યું છે કે – “ધન્ય તું આતમા જેહને, એહવે પ્રશ્ન અવકાશ રે.” ભગવાન એમને જવાબ આપતાં કહે છે કે શાંતિનું સ્વરૂપ હું તને કહું છું. પણ એ પહેલાં કહું છું કે–“તને શાંતિનું સ્વરૂપ શું ? ને એ કઈ રીતે પમાય? આવી જિજ્ઞાસા થઈ, એ માટે હે આત્મા ! તને ધન્યવાદ ઘટે છે.” આ પણ શું બતાવે છે કે આવી જિજ્ઞાસા હોય, તે જ શ્રોતા બનાય. તે જ ગ્યા બનાય. અહીં શિષ્યને પણ આવી જ જિજ્ઞાસા છે. એ ગુરુ
SR No.023190
Book TitleNandi Sutrana Pravachano
Original Sutra AuthorN/A
AuthorVijaynandansuri, Sheelchandrasuri
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy