________________
શ્રી નંદિસૂત્રનાં પ્રવચન બ્રહ્મને પણ એગી જશે. શબ્દ એ પણ બ્રહ્મ છે. આત્માનું સ્વરૂપ, મેક્ષનું સ્વરૂપ, એ બધું શબ્દમાં કહેલું છે. એને પણ એ ઓળંગી જશે.
અને તમે કયાં જશે? કયા વક્તા પાસેથી તમે તત્ત્વ મેળવશે? બધાં પાસે તમે નહિ જાવ. બધાં પાસેથી તાવ નહિ મળે. પણ તેની પાસેથી મળશે? તે નાબાર વતુ: સાત તાધામો મવતિ–જેના હદયમાં કઈ જાતને કદાઝતું નથી–મારું તે સાચું નહિ પણ સાચું તે મારું છે. ભગવંતે કહ્યું તે જ સાચું અને સારું છે. હું તે છદ્દસ્થ
–આ અભિમાન વિનાને જે વકતા હોય તેની પાસેથી ખરૂં તત્વ મળે. અને આ વકતા, જે એકાંત હિતને માટે જ કહે છે, તેને–uતતો અમર–એકાંતે લાભ થાય જ છે. શ્રોતાને તે થાય કે ન થાય. અને શ્રોતા પણ કે હેય કે જે ગુરુમહારાજ પાસેથી–વક્તા પાસેથી- સાચું તત્વ મેળવી શકે ? ત્યાં કહ્યું છે કેઃ “જો ગુદ્ધિમાનર્થી, श्रोता पात्रमिति स्मृतः'.
પહેલી તે એનામાં મધ્યસ્થવૃત્તિ જોઈએ. કેઈ એક વિચારમાં, એક બાજુમાં કે કદાગ્રહમાં એ સપડાઈ ગયો ન હોવો જોઈએ. “મારે તે સાચું તત્ત્વ-સાચું સ્વરૂપ જાણવું છે, એ મધ્યસ્થ હોય તેને જ તત્વ મળે.
વળી એ બુદ્ધિમાન જોઈએ. એનામાં સમજણ શક્તિ જોઈએ. મધ્યસ્થ તે હોય, પણ સમજણ ન હોય તે ભેંસ આગળ ભાગવત જેવું થાય.