________________
પ્રકાશકીય
અમારું ગૌરવ :
અમારું એક પરમ ગૌરવ છે કે, પ. પૂ. ધર્મરાજા પ્રાકૃત વિશારદ સ્વ. આચાર્ય ભગવંત શ્રી વિજય કસ્તૂરસૂરીશ્વરજી મહારાજશ્રીના રચિત-સંશોધિત કે સંપાદિત કઈ પણ નાના કે મોટા ગ્રંથનું પ્રકાશન કરીએ છીએ, ત્યારે જેન-અજૈન વિદ્યાર્થીએ-સાક્ષરે એટલી જિજ્ઞાસાથી તે તે ગ્રંથને આવકારે છે કે પ્રકાશન બાદ થોડા સમયમાં જ બીજી આવૃત્તિ છપાવવી જરૂરી બની જાય છે. ગુરુ આંજ્ઞા :
પ્રસ્તુત “સિરિસિહનાહ ચરિયમ” કે જે પૂજ્યશ્રીની પ્રાકૃત ભાષાબદ્ધ મૂળ કૃતિ છે. આ કૃતિના ઉત્થાનમાં ધર્મરાજા પૂજ્ય ગુરુદેવને તેઓ શ્રીમાનના ગુરુદેવ પ.પૂ. આચાર્ય મહારાજ શ્રી વિજય વિજ્ઞાનસૂરીશ્વરજી મહારાજશ્રીની પ્રેરણા હતી કે, પિતાને પરમ વિનેયી કસ્તુર” સમગ્ર “ત્રિષષ્ટિશલાકાપુરુષ” ચરિત્રનું પ્રાકૃતમાં રૂપાંતર કરે. ગ્રન્થ પ્રારંભ :
પરમ ગુરુચરણ નિષ્ઠ ધર્મરાજાએ મુંબઈના વિ. સં. ૨૦૧૬ ના શ્રી ગોડીજી જૈન ઉપાશ્રયે ચાતુર્માસ સ્થિરતા દરમિયાન ઉપાધ્યાય (હાલ આચાર્ય) શ્રી મેરૂ