SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ શ્રી ઋષભનાથ ચરિત્ર અશ્વોને ધારણ કરે છે. તે નાભિનંદન પ્રભુ સુશ્લિષ્ટ કાષ્ઠથી ઘડેલા રથાને ભૂમિ ઉપર રહેલા વિમાનની જેમ નિર્માણ કરે છે. તે નાભિપુત્ર પેાતાના ચક્રવતીના ભવની જેમ સારી રીતે પરીક્ષા કરેલા પરાક્રમવાળા પાયદળના સૈનિકેાના સંગ્રહને કરે છે. તેમાં નવીન મહારાજ્ય રૂપી પ્રાસાદના સ્તંભ જેવા મહાબળવાન સેનાધિપતિઓને સ્થાપે છે. તે તે વસ્તુઓના ઉપયાગમાં કુશળ એવા જગત્પતિ ગાય, બળદ, ઉટ, મહિષ, અશ્વતર (ખચ્ચર) વગેરેનો સંગ્રહ કરે છે. તે વખતે કલ્પવૃક્ષેા વિચ્છેદ પામ્સે થકે લેાકેા કંદ, મૂળ અને ફળ ખાય છે, તેમજ ઘાસની જેમ પેાતાની. મેળે ઉત્પન્ન થયેલ શાલિ (ચાખા), ઘઉં, ચણા અને. મગ વગેરે વનસ્પતિઓને પકાવ્યા વિના (કાચી ) ખાય છે. તે આહાર ન પચવાથી તે યુગલિક મનુષ્યેા વડે વિજ્ઞપ્તિ કરાયેલ પ્રભુ કહે છે કે હાથવડે તે વનસ્પતિઆને મસળીને તેની છાલ દૂર કરીને હમણાં ખાઓ. તે સાંભળીને જગત્પતિના ઉપદેશ મુજબ તેવી રીતે ખાવા છતાં પણ ઔષધિએ કઠિન હાવાથી તે આહાર પણ પચતા નથી. ફરીથી તેઓએ વિનંતિ કરવાથી સ્વામી કહે છે કેતે વનસ્પતિઓને હાથથી મસળીને પાણી વડે ભી'જવીને પાંદડાના પડિયામાં રાખીને ખાઓ. તેઓ તેવી રીતે કરે. છે. તા પણ તેને અજીણુ આહારની તેવા પ્રકારની
SR No.023189
Book TitleRushabhnath Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
Publication Year1977
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy