SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૮] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય અને શીતળ પાણી લાવ્યો છું, એટલા માટે મુખને ધોઈ નાખી ઈચ્છા હોય તેટલું પાણી પીને થાક દૂર કરો. કૃષ્ણ બોલ્યા નહિ, ત્યારે બલરામે ફરીથી કહ્યું કે હે અરિષ્ટહારિ! મને થોડું મોડું થવાથી આપ શા માટે રીસાઈ ગયા છે ? આ રીતે રીસાવું તમારા માટે ઉચિત નથી. પાણી બહુ દૂર હોવાથી મને આવતા મોડું થઈ ગયું છે. તે પણ કૃષ્ણ બોલ્યા નહિ ત્યારે બલરામે વિચાર્યું કે ખૂબ થાક લાગવાથી ઊંઘી ગયા છે. માટે ભલે તેઓ ઉંઘતા, આ પ્રમાણે વિરાર કરીને બતારામ શાંતિથી કૃષ્ણની બાજુમાં વૃક્ષની નીચે બેઠા, ત્યારે કૃષ્ણના શરીરની ચારે તરફ કાળી માખીઓ ઉડતી જોઈ આશ્ચર્યચક્તિ બનેલા બલદેવે કૃષ્ણની ઉપર ઢાકેલું વસ્ય લઈ લીધું. તોપણે કુણને મરી ગયેલા જોયા, તેમના પગમાં બાણોને ઘા જે, કોઇથી બારાએ શયંકર સિંહનાદ કર્યો, અવાજ સાંભળી જંગલના પશુઓ બીકના માર્યા આમતેમ દોડવા લાગ્યા, પૃથ્વી કંપવા લાગી, મદેન્મત્ત બનેડા બલરામે કહ્યું કે સૂતેલા મારા ભાઈને કોણે મારી નાખ્યા છે? સંડાલ પણ સૂતેલા ઉપર મત્ત, પ્રમત્ત, બાળક, સ્ત્રી, મુનિ તથા ગાયની ઉપર પ્રહાર કરતો નથી. તે પછી મારા ભાઈને કોણે માર્યો? કદારા ભુજાબલનું અભિમાન હોય તો મારી સામે આવી જાય ! હું તેના બાહુબળને શાંત કરી નાખ્યું. આ પ્રમાણે ક્રોધાયમાન બલરામ મોટેથી બૂમ પાડતા મૂચ્છિત બની ગયા, જ્યારે તેઓ ભાનમાં
SR No.023187
Book TitlePandav Charitra Mahakava
Original Sutra AuthorN/A
AuthorBhanuchandravijay
PublisherJain Prakashan Mandir
Publication Year1967
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy