SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ : ૧૭મે ] [૪૬૧ બધી વાત કહી સંભળાવી, ત્યારે કપિલવાસુદેવે કહ્યું કે કૃષ્ણનું સ્વાગત કરવાની ભાવના રાખું છું. ભગવાને કહ્યું કે ત્રણે કાળમાં સંભવિત નથી કે બે તીર્થકર, બે વાસુદેવ, એકબીજાને મળે, તમે ફક્ત તેમના રથની ધજાને જોઈ શકશે, આ પ્રમાણે પ્રભુના વચન સાંભળી કપિલવાસુદેવ કૃષ્ણની પાછળ દોડયા, લવણસમુદ્રના કિનારે આવી તેમના રથની ધજા જોઈ “આપ મારા સ્વાગતને તમારી સાથે લેતા જજે” કહીને કપિલ વાસુદેવે શંખ ફુક, “મેં તમારું સ્વાગત પ્રાપ્ત કર્યું છે. આ પ્રમાણે કહીને કૃષ્ણ પણ પિતાને શખ ફુકો. શબને પ્રતિધ્વનિ સાંભળીને કપિલ પાછો ફર્યો, અપરકંકામાં આવી પદ્મનાભને અન્યાયી, અત્યાચારી કહીને તેને નગરની બહાર કાઢી મૂક્યો, તેના સ્થાને તેના પુત્રને રાજ્યસન ઉપર બેસા. તે સમુદ્ર પાર કરીને કૃષ્ણ પાંડેને કહ્યું કે હું સમુદ્રાધીશ સુસ્થિતને મલીને પાછો આવું છું. ત્યાં સુધી આપ “ગંગાનદીની સામે પાર પહોંચી જાઓ” કૃષ્ણની આજ્ઞાથી નાવમાં બેસી સાડા બાસઠ યોજન પહોળાપટવાળી ગંગાનદીની સામે પાર પાંડ પહોંચી ગયા. પાંડને તે વખતે વિચાર આવ્યું કે “કૃષ્ણની તાકાતનું માપ કાઢીએ” એમ વિચારી તેઓએ નાવને પાછી સામા કિનારે મેકલાવી નહીં. ત્યારબાદ સુસ્થિત દેવને મલી રથને ડાબા હાથમાં પકડી જમણા હાથની તાકાતથી શ્રીકૃષ્ણ ગંગાનદી પાર કરવા લાગ્યા, તે વખતે
SR No.023187
Book TitlePandav Charitra Mahakava
Original Sutra AuthorN/A
AuthorBhanuchandravijay
PublisherJain Prakashan Mandir
Publication Year1967
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy